સદીનું સૌથી ભયંકર પૂર સહન કરનારા કેરળમાં હાલત સુધાર પર છે. હાલ પુર્નવસનની કામગીરી ચાલી રહી છે. ત્યારે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પૂર પહેલા અને પછીની કેરળની તસવીર જાહેર કરી છે. નાસાનું કહેવું છે કે ડેમમાથી છોડવામાં આવેલા પાણીના કારણે કેરળમાં આફત આવી. જેમાં 474 લોકોએ જીવ ગુમાવ્યો.
ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરી 2018ના રોજ નાસા દ્વારા લેવાયેલી તસવીરમાં જોઈ શકાય છે કે વેમબાનદ લેક અલપ્પુઝા કોટ્ટાયમ ચંગાસેરી અને થિરૂવલાના ડેમમાં પામી જમા થયેલું નજરે પડે છે. જ્યારે 22મી ઓગસ્ટના રોજ લેવાયેલી તસવીરમાં પાણી જ પાણી નજરે પડે છે. જેમાં સમગ્ર કેરળમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
નાસાના વૈજ્ઞાનિકોનું માનીએ તો ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું અને આ પાણી એવા સમયે છોડવામાં આવ્યું કે જ્યારે વરસાદ પણ વરસી રહ્યો હતો. જેનાથી રાજ્યના 80 ટકા ડેમ છલકાયા.
જેના પગલે ઈડ્ડુકી ડેમના 35 ગેટ ખોલવામાં આવ્યા. પણ જો આ મામલે યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવ્યું હોત તો કદાચ આ દિવસો જોવાનો વારો આવ્યો ન હોત.