રાતે પાણી પીવા જાઓ અને નળમાંથી પાણીની જગ્યાએ દારુ નીકળવા લાગે તો? આવી જ એક ઘટના કેરળમાં થઇ છે. કેરળના સોલોમન ફ્લેટ્સમાં રહેતા એક વ્યક્તિએ નળ ખોલતા તેમાંથી દારુ નીકળતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના ઘરમાં તપાસ થતાં જાણ થઇ કે 18 ઘરમાં દારુ નીકળી રહી હતી.
નળમાંથી દારુ નીકળતા લોકોમાં કૌતુક
એક્સાઈઝ ડીપાર્ટમેન્ટે કરી તપાસ
નજીકમાં ખુલેલી બારના કારણે ઘરના નળમાં આવી દારુ
કેરળના અમુક ઘર રાતે અચાનક પબમાં બદલાઈ ગયાં. અહિયાં રહેતા લોકોએ જયારે નળ ખોલ્યા ત્યારે તેમાંથી દારુ નીકળવા લાગી. આ ઘટના ત્રિશુર જિલ્લાનાં સોલોમન એવેન્યુ ફ્લેટ્સમાં રહેતા લોકોની છે. ત્યાં રહેતા એક વ્યક્તિએ જયારે મોદી રાતે નળ ખોલ્યો ત્યારે તેમાંથી દારુ નીકળવા લાગી. નળમાંથી દારુ નીકળતા જ ચકચાર મચી ગઈ હતી. પડોસીઓએ પણ જયારે અચંભિત થઇને બધા ઘરમાં નળ ચાલુ કર્યા તો 18 ઘરના નળમાંથી દારુ નીકળી રહી હતી.
આ વાત આસપાસનાં વિસ્તારમાં ફેલાઈ જતા ઘણા બધા લોકો ટોળે વળ્યા હતા. આશ્ચર્યચકિત થયેલા રહેણાંક લોકોએ આ ઘટનાની જાણ એક્સાઈઝ ડીપાર્ટમેન્ટને કરી. આ વિભાગે તપાસ શરુ કઈ દીધી.એક આહેવાલ પ્રમાણે એક્સાઈઝ ડીપાર્ટમેન્ટે જણાવ્યું કે આ સમગ્ર ઘટનાનું મૂળ છ વર્ષ પહેલાં શરુ થયેલી રચના નામની એક બારનાં કારણે થઇ રહ્યું હતું. આ બારમાં ગેરકાયદેસર રીતે 6 હજાર લીટર દારુ સ્ટોર કરી લીધી હતી. ફ્લેટ્સની નજીક જ આ બાર ખોલવામાં આવ્યું હતું પરંતુ કોર્ટનાં ઓર્ડર બાદ તે બારને નષ્ટ કરી દેવામાં આવ્યું
હવે તે બધી દારુને નષ્ટ કરી દેવા માટે અધિકારીઓએ ત્યાં જ એક ખાડો કરીને બધી દારુ તેમાં જ નાખી દીધી હતી. આ દારુ નષ્ટ થવાની જગ્યાએ પાણીમાં ભળી ગઈ અને લોકોનાં ઘરમાં નીકળવા લાગી. અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે સોલોમન એવેન્યુ ફ્લેટ્સના લોકોએ ચાલ્કુડી નગરપાલિકા સચિવ અને સ્વાસ્થ્ય વિભાગને ફરિયાદ કરી હતી.