નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર મુસ્લિમ પાર્ટીનો ટોણો માર્યા બાદ અરવિંદ કેજરીવાલે મોદી પર કટાક્ષ કર્યો હતો. કેજરીવાલે કહ્યું કે ભાજપ જો હિન્દુઓની પાર્ટી હોય તો હિન્દુઓના સંતાનોને નોકરી આપી દે. કેજરીવાલે ટ્વિટ કરતા કહ્યું કે ભાજપ હિન્દુ પાર્ટી છે કે હિન્દુઓના સંતાનોને સારું શિક્ષણ અપાવી દે. આવું કેમ થતું નથી? ભાજપ કોઇ માટે કંઇક તો કરે...
આ પહેલા કેજરીવાલે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદ માટે આલોક આગ્રવાલનું નામ જાહેર કર્યું હતું. ઇન્દોરમાં ચૂંટણી રેલીને સંબોધતા કેજરીવાલે આ વાત કરી હતી. કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે જ્યારે ભાજપ હિન્દુઓનો પક્ષ છે. ચાર વર્ષ બાદ જો તેમને હિન્દુ મુસ્લિમ કરવું પડે તો તેને ચાર વર્ષમાં કોઇ કામ જ કર્યું નથી.
આજે અમેરિકા નેનો ટેકનોલોજીની વાત કરે છે. જાપાન ફ્રાંસ ઈગ્લેન્ડ હજુ પણ વિકસીત અને મોટી ટેકનોલોજીની વાત કરે છે. જ્યારે આપણા પ્રધાનમંત્રી હિન્દુ-મુસ્લિમની વાતો કર્યા કરે છે. સમગ્ર દુનિયા 5જીની વાત કરે છે પરંતુ આપણા દેશમાં થ્રીજી પણ કામ કરતું નથી.
નરેન્દ્ર મોદી પર પ્રહાર
ભાજપ કહે છે કે તે હિંદુઓની પાર્ટી છે તો હિંદુઓના છોકરાઓને નોકરી પર લગાવી દો? હિંદુઓના બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ અપાવી દો?કોઈના માટે કંઈક તો કરો.
અરવિંદ કેજરીવાલ સીએમ દિલ્હી
भाजपा कहती है कि वो हिंदुओं की पार्टी है। तो कम से कम हमारे हिंदुओं के बच्चों की ही नौकरी लगवा दो? हिंदुओं के बच्चों को ही अच्छी शिक्षा दिलवा दो? किसी के लिए कुछ तो करो।