રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં ત્રણ દિવસથી ભારે હિંસા પર CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ તોફાનો દિલ્હીવાસીઓએ નહીં પરંતુ બહારના અને કેટલાંક રાજકીય લોકોએ ફેલાવ્યાં છે. જે નફરતની રાજનીતિ કરવા માંગે છે.
દિલ્હીમાં હિંસાનો માહોલ યથાવત
હિંસામાં શહીદ થયેલા કૉન્સ્ટેબલને સરકારે કરી મદદ
કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
આજે દિલ્હી વિધાનસભામાં CM કેજરીવાલે કહ્યું કે આ હિંસામાં સૌથી વધુ નુકસાન દિલ્હીવાસીઓનું થયું છે અને એટલે જ હિંસા નહીં રાજધાનીના વિકાસને પસંદ કરવો જોઈએ. વિધાનસભા ચર્ચા દરમ્યાન તેમણે હિંસામાં શહીદ થયેલા હૅડ કૉન્સ્ટેબલ રતન લાલના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ દેવાની અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.
બહારથી આવેલા તત્વોએ હિંદુ-મુસલમાનનું કર્યુ નુકસાન
CM એ કહ્યું કે દિલ્હીના લોકોને શાંતિ પસંદ છે. અહીં દાયકાઓથી તમામ ધર્મ-જાતિના લોકો ભાઈચારા સાથે રહે છે. અમને તોફાનો અને રમખાણો નથી જોઈતા. અમારે દિલ્હીને સુંદર બનાવવું છે. કેજરીવાલે આગળ કહ્યું કે આ હિસાં દિલ્હીની સામાન્ય જનતાએ નથી કરી. આ કેટલાંક બહારી તત્વો, રાજકીય, ઉપદ્રવી અને અસામાજિક તત્વોએ કર્યુ છે. તેમણે કહ્યું કે આ હિંસામાં હિંદુ અને મુસલમાન બંનેનું નુકસાન થયું છે અને એટલે જ આપણે હિંસા નહીં પરંતુ વિકાસના રસ્તે આગળ વધવાનું છે.
પોલીસના વખાણ, કેન્દ્ર પર હુમલો
Delhi CM Arvind Kejriwal in Delhi Assembly: I want to assure the family of Delhi Police Head Constable Rattan Lal ji that we will take care of them. We will give a compensation of Rs 1 Crore and a job to a member of his family. pic.twitter.com/ifh9UernLI
કેજરીવાલે પોલીસના વખાણ કર્યા અને કેન્દ્ર પર વાર કરતા કહ્યું, કેટલાંક મામલાઓમાં એવું બન્યું છે જ્યાં પોલીસવાળાઓએ કહ્યું કે ઉપરથી કાર્યવાહી કરવાના આદેશ નથી. તેમણે કહ્યું કે પોલીસવાળાઓએ સ્થિતિ સંભાળવાની પૂરી કોશિશ કરી પરંતુ માહોલ અનુસાર તેમની પાસે સંખ્યા ઓછી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે એક-બે વીડિયો એવા પણ સામે આવ્યાં છે કે પોલીસ તોફાનકારીઓની મદદ કરતી દેખાઈ છે અને તેની તપાસ થવી જોઈએ.
નફરત છોડીને દિલ્હીનો વિકાસ કરો
સીએ કેજરીવાલે દિલ્હીવાસીઓને અપીલ કરી કે રાજધાનીના સોનેરી ભવિષ્ય માટે એકજૂટ થઈએ. સમય આવી ગયો છે કે સંપૂર્ણ દેશનું કહેવું છે કે બસ થઈ ગયું. નફરતની રાજનીતિ હવે સહન નથી થઈ રહી. ભાઈને ભાઈથી લડાવીને, તોફાનો કરાવવાની રાજનીતિ નહીં થાય. તોફાનોમાં કેટલીક જગ્યાએ ભાઈચારો પણ જોવા મળ્યો ત્યારે આ એ દિલ્હીવાસીઓ છે અને આપણું ભવિષ્ય તેમનાથી આગળ વધશે.