દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે અરવિંદ કેજરીવાલની સરકારે નિર્ણય કર્યો છે કે, હાલમાં સ્કૂલો બંધ કરવામાં નહીં આવે.
દેશમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
કોરોનાના ફેલાવાને જોતા દિલ્હી સરકારે નિયમો જાહેર કર્યા
વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ આ નિયમો પાળવા પડશે
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે અરવિંદ કેજરીવાલની સરકારે નિર્ણય કર્યો છે કે, હાલમાં સ્કૂલો બંધ કરવામાં નહીં આવે. જો કે, કેજરીવાલ સરકારે સ્કૂલો માટે કોરોના વાયરસને રોકવા અને તેનાથી બચવાના ઉપાયો અંતર્ગત એક એસઓપી જાહેર કરી દીધી છે. દિલ્હી સરકાર તરફથી જાહેર કરવામા આવેલી કોવિડ 19 એસઓપી મુજબ, સ્કૂલમાં બાળકો ન તો લંચ બોક્સ અને પુસ્તકો શેર કરી શકશે અને ન તો થર્મલ સ્કેનિંગ વગર એન્ટ્રી મળશે.
શાળાઓ બંધ કરવામાં નહીં આવે
દિલ્હી સરકારે શુક્રવારે સ્કૂલો માટે કોવિડ 19 સંબંધી દિશા નિર્દેશ જાહેર કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ થર્મલ સ્કેનિંગ વગર સ્કૂલ પરિસરમાં પ્રવેશ કરી શકે નહીં, એવું પણ કહ્યું છે કે, વાલીઓને સલાહ આપવામાં આવે છે કે, બાળકો કોરોનાથી સંક્રમિત થાય તો, તેને શાળાએ મોકલવા નહીં.
દિલ્હી સરકારે જાહેર કરેલી એસઓપીમાં શું કહ્યું છે
સ્કૂલમાં બાળકો લંચ બોક્સ અને પુસ્તકો શેર કરી શકશે નહીં
થર્મલ સ્કેનિંગ વગર બાળકોને સ્કૂલમાં એન્ટ્રી નહીં મળે
સ્કૂલમાં આવતી વખતે અને જતી વખતે ભીડ ભાડ ન થાય, તો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાનું રહેશે.
હકીકતમાં દિલ્હીમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉપાય પર વિચાર કરવા માટે હાલના દિવસોમાં ડીડીએમએની બેઠક થઈ હતી અને તે બેઠકમાં સ્કૂલોને ખોલી રાખવા માટે નિર્ણય લીધો હતો. બેઠક બાદ કેજરીવાલ સરકારે એવી પણ જાણકારી આપી હતી કે, સ્કૂલોને બંધ તો નહીં કરવામાં આવે, પણ કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સ્કૂલોને વધારે સારી રીતે સંચાલન થાય, તેના માટે એક એસઓપી જાહેર કરવામાં આવી છે.