ઘરમાં મોરપીંછ રાખવાથી અનેક વાસ્તુ દોષ દૂર થાય છે પણ મોરપીંછને ઘરમાં રાખવા સંબંધિત કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખવાની જરૂરી છે.
ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ છે મોરપીંછ
ઘરમાં મોરપીંછ રાખવાથી અનેક વાસ્તુ દોષ દૂર થાય
આ દિશામાં મોરપીંછ રાખવું શુભ
આપણા હિંદુ ધર્મમાં ભગવાનની પ્રિય વસ્તુઓનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને વાસ્તુ અનુસાર આવી વસ્તુઓને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ મોરપીંછ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ ધારણ કરતાં બતાવવામાં આવ્યા છે. એ સિવાય હિંદુ ધર્મ અનુસાર માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્રદેવ અને ભગવાન કાર્તિકેયને પણ મોરપીછું ખૂબ પ્રિય છે એવું દર્શાવવામાં આવ્યું છે. મોરપંખ બસ ઘરની શોભા નથી વધારતું પણ શાસ્ત્રમાં તેનું બીજું ઘણું મહત્વ પણ બતાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ સાથે સંકળાયેલ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મોરપીંછ રાખવાથી અનેક વાસ્તુ દોષ દૂર થાય છે પણ મોરપીંછને ઘરમાં રાખવા સંબંધિત કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખવાની જરૂરી છે.
આ દિશામાં મોરપીંછ રાખવું શુભ
મોરપીંછ ભગવાન કૃષ્ણની સાથે સાથે અનેક દેવી દેવતાઓનું પ્રિય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મોરપીંછ લગાવવાથી દેવી-દેવતાઓ અને નવા ગ્રહોનો પણ વાસ થાય છે પણ ઘરમાં મોરપીંછ લાવતા પહેલા તેને રાખવાના નિયમો જરૂરથી જાણી જેવા જોઈએ. જો તમારા કામ બનતા બનતા અટકી પડતાં હોય તો ઘરના અગ્નિકોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં મોરપીંછ લગાવો. મોરપીંછને ક્યારેય પણ ખરીદવાને બદલે ખાસ મોકા પર જ ખરીદો.
આર્થિક તંગી થશે દૂર
ઘણા પ્રયત્નો પછી પણ જો ઘરમાં પૈસા નથી ટકી રહેતા ઘરના પૂજા સ્થાન પર તો મોરપીંછ રાખવું જોઈએ. આ સાથે જ મોરપીંછને લોકરમાં રાખવાથી ધનમાં વધારો થાય છે અને આર્થિક સંકટની સમસ્યાથી પણ છુટકારો મળે છે