સ્ટેશન પર ધાર્મિક સ્થળ વિશે કદાચ આપણે સાંભળ્યું હશે, પરંતુ શું ટ્રેનની અંદર કયારેય આવું જોયું છે? કાશી-મહાકાલ એકસપ્રેસની એક સીટને મંદિરનું રૂપ અપાયું છે. મંદિરમાં શિવની મૂર્તિ લગાવાઇ છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન વારાણસીથી ઇન્દોરની વચ્ચે દોડશે.
આ ટ્રેન 20 ફેબ્રુઆરીથી શરૂ થશે
સીટ નંબર 64ને શિવમંદિર બનાવાયું
આ ટ્રેન વારાણસીથી ઇન્દોરની વચ્ચે દોડશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. જે કોચમાં મંદિર બનાવાયું છે તેની તસવીરો પણ સામે આવી છે. મળેલી જાણકારી મુજબ ટ્રેનના કોચ બી-5ના સીટ નં.64ને શિવમંદિર બનાવાયું છે. આ ટ્રેન 20 ફેબ્રુઆરીથી શરૂ થશે.
કાશી-મહાકાલ એકસપ્રેસ દેશની પહેલી એસી ટ્રેન છે જેના દરેક કોચ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. આઇઆરસીટીસીના ચીફ રિજનલ મેનેજર અશ્વિની શ્રીવાસ્તવે જણાવ્યું કે કાશી-મહાકાલ એકસપ્રેસ ટ્રેનના દરેક કોચમાં 6-6 સીસીટીવી કેમેરા દ્વારા સુરક્ષા આપવામાં આવશે. આ માટે દરેક કોચમાં એક કંટ્રોલ બનાવાયો છે.
Varanasi: Seat number 64 of coach B5 in Kashi Mahakal Express (Varanasi-Indore) has been turned into a mini-temple of Lord Shiva. The train was flagged off by Prime Minister Narendra Modi via video conferencing yesterday. pic.twitter.com/X5rO4Ftbl6
આઇઆરસીટીસી પાસે એક મહિનાથી વધુ સમય સુધી વીડિયો ફૂટેજ પણ રહેશે. ટ્રેનના પ્રત્યેક યાત્રીને રૂ.10 લાખનો વીમો ફ્રીમાં અપાશે. તેનું કોઇ પણ પ્રિમિયમ યાત્રીઓ પાસેથી વસૂલવામાં નહીં આવે.