ત્રીજી લહેર દરમિયાન રોજના 4થી 8 લાખ કેસ આવી શકે- એક્સપર્ટ
ગણિતીય મોર્ડલના આધાર પર કાનપુર આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. મણીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે આ દરમિયાન મુંબઈમાં રોજના 30થી 60 હજાર અને દિલ્હીમાં પીક દરમિયાન 35થી 70 હજાર કેસ આવશે. આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. મણીન્દ્ર અગ્રવાલે આ દાવો કર્યો છે.
પીક દરમિયાન રોજના દેશમાં 2 લાખ સુધી કેસ આવી શકે
ડો. અગ્રવાલે અધ્યયનના આધાર પર કહ્યું કેસ વધવા પર સ્થાનીય સ્તર પર હોસ્પિટલોમાં બેડની અછત પણ ઉભી થઈ શકે છે. પીક સમયે દેશમાં સંક્રમિત થનારાની સરખામણીએ દોઢ લાખની જરુર પડી શકે છે. આની પહેલા પ્રો. અગ્રવાલે એક ટ્વીટમાં કહ્યું કે પીક દરમિયાન રોજના દેશમાં 2 લાખ સુધી કેસ આવી શકે છે.
તમામે સતર્ક રહેવાની જરુર
આના પર તેમણે કહ્યું કે પહેલા દક્ષિણ આફ્રિકામાં આવી રહેલા કેસના આધાર પર ભારતમાં સંક્રમણ ફેલાવાની સ્પીડનું આકલન કર્યુ. પણ જ્યારે દેશમાં સંક્રમણ ફેલાવાની શરુઆત થઈ તો મોર્ડલમાં આંકડા બદલાયી ગયા છે. હવે સામે એવું આવ્યું છે કે દેશમાં સંક્રમણ ફેલાવાની સ્પીડ દક્ષિણ આફ્રીકાની સરખામણીએ અનેક ગણી વધારે રહેશે. પ્રો. અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધી તમામે સતર્ક રહેવાની જરુર છે.
દિલ્હી-મુંબઈમાં આ મહિને પીક શક્ય
પ્રો. અગ્રવાલના જણાવ્યાનુસાર દિલ્હી અને મુંબઈમાં પીક જાન્યુઆરીએ ત્રીજા અઠવાડિયામાં આવી શકે છે. આ દરમિયાન મુંબઈમાં વધારે કેસ દિલ્હીમાં મળી શકે છે. મુંબઈમાં કેસોની સરખામણીએ 10 હજાર બેડ, દિલ્હીમાં કેસોની સરખામણીએ 12 હજાર બેડની જરુર પડી શકે છે.
દેશમાં કોરોનાનો કહેર
અત્યાર સુધીમાં દેશમાં 3,52,26,386 કોરોનાના દર્દી મળી ચૂક્યા છે.
દેશમાં કુલ 3,43,71,845 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
દેશમાં કુલ 4,83,178 લોકોના જીવ ગયા છે.
ગત 24 કલાકમાં 15,13,377 સેમ્પલની તપાસ થઈ છે.
અત્યાર સુધી દેશમાં કુલ 68,68,19,128 થી વધારે સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.