કંગના રનૌત સોશ્યલ મિડીયા પર એક્ટિવ રહે છે. દેશ વિદેશના મુદ્દા પર તે પોતાના ઓપિનીયન આપતી રહે છે પરંતુ હવે તેનુ ટ્વિટર અકાઉન્ટ સસપેન્ડ કરી દેવામાં આવ્યુ છે.
હાલમાં જ તેણે ઓક્સિજનને લઇને પોતાનું નિવેદન આપ્યુ હતુ. તે બાદ તેણે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની જીત થઇ હતી તેના પર કમેન્ટ કરી હતી અને બંગાળ હિંસા વિરુદ્ધ પોતાનુ નિવેદન આપ્યુ તે બાદ તેનુ અકાઉન્ટ સસપેન્ડ કરી દેવામાં આવ્યુ હતુ.
કંગના રનૌત સોશ્યલ મિડીયા પર બીજેપી અને પીએમના સપોર્ટમાં તે દેખાતી હોય છે. પશ્ચિમ બંગાળમાં થઇ રહેલી હિંસા પર કંગનાએ ટીએમસી પર નિશાન સાધતા કહ્યું કે, હું ખોટી હતી, તે રાવણ નથી, તે તો દુનિયાનો સૌથી સારો રાજા હચો, દુનિયામાં સૌથી સારો દેશ બનાવ્યો, મહાન એડમિનિસ્ટ્રેટર હતો, વિદ્વાન હતો, વિણા વગાડનાર અને પોતાની પ્રજાનો રાજા હતો, જ્યારે તે તો લોહીની ભૂખી તાડકા હતી.
કંગનાએ આ બાદ બીજી ટ્વિટ કરી હતી દેમાં તેણે ટીએમસીના કાર્યકર્તાઓ પર ગેંગરેપનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેણે ટ્વિટ કર્યુ કે, ટીએમસીના ગુંડાઓએ બીજેપી કાર્યકર્તા પર ગેંગરેપ કર્યો છે. ઇન્દિરા ગાંધીએ 39 વાર આપાતકાલ લગાવ્યો અને તેણે કહ્યું કે ભારતને આ વાતની પરવા નથી કે તમે શું વિચારો છો. રાષ્ટ્ર પ્રેમ મોદીજીની ભાષા નથી જાણતુ તેને ડંડો જોઇએ.