એક તરફ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે તો બીજી તરફ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.
કંગના રનૌતને ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે
ટ્વિટમાં કંગનાએ હિન્દુત્વને લઈને એક નિવેદન જાહેર કર્યું
બૉલીવુડના લોકો સારું કામ કરો અને રાજકારણથી દૂર રહો
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ હાલ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે અને ત્રીજા દિવસે પણ ફિલ્મે બમ્પર કલેકશેન કર્યું છે. આ એક્શન ડ્રામા ફિલ્મ ઓડિયન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ સાથે જ એક્ટ્રેસ કંગના રનૌતે પણ પોતાની અપકમિંગ ફિલ્મ 'ઇમરજન્સી'ની રેપ-અપ પાર્ટીમાં શાહરૂખ ખાનનું નામ લીધા વગર ફિલ્મના વખાણ કર્યા હતા. જો કે પઠાણની બોક્સ ઓફિસ પરની સફળતા પર કંગના રનૌતનું ટ્વિટ સામે આવ્યું છે. એ ટ્વિટમાં કંગનાએ સ્પષ્ટ લખ્યું હતું કે 'અંતે અહીં માત્ર જય શ્રી રામ ગુંજે છે.'
કંગનાના ટ્વિટનો સિલસિલો શરૂ
જણાવી દઈએ કે એક તરફ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે તો બીજી તરફ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. પઠાણ રિલીઝ થઈ એ સમયથી જ કંગનાના ટ્વિટનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને હાલ તેના તાજેતરના ટ્વિટમાં કંગનાએ હિન્દુત્વને લઈને એક નિવેદન જાહેર કર્યું છે.
Bollywood walon yeh narrative banane ki koshish mat karna ki iss desh mein tum Hindu hate se suffer kar rahe ho, agar maine phir se yeh word suna ‘triumph over hate’ toh tum logon ki wahi class lagegi jo kal lagi thi, enjoy your success and do good work, stay away from politics.
ટ્વિટ કરીને શું કહ્યું કંગનાએ..
કંગના રનૌતે કહ્યું, "બોલીવુડના લોકો તમે તેવું વર્ણન બનાવવાની કોશિશ ન કરો કે આ દેશમાં હિંદુ નફરતથી પીડિત છો. જો હું ફરીથી 'નફરત પર વિજય' આ શબ્દ સાંભળીશ તો તમારી ફરી એ જ ક્લાસ લાગશે જે ગઈકાલે લાગી હતી, હાલ તમારી સફળતાનો આનંદ માણો અને સારું કામ કરો સાથે જ રાજકારણથી દૂર રહો."
ફિલ્મમાં પાકિસ્તાન અને ISIને સારું દર્શાવવામાં આવ્યું
કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું હતું કે જેઓ પઠાણને નફરત પર જીતનો દાવો કહી રહી છે તેમની સાથે હું સંમત છું પણ કોના પ્રેમ પર નફરત? ટિકિટ કોણ ખરીદી રહ્યું છે અને કોણ તેને સફળ બનાવી રહ્યું છે? હા આ ભારતનો પ્રેમ છે જ્યાં 80 ટકા હિંદુઓ વસે છે અને છતાં પઠાણ નામની ફિલ્મ જેમાં આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને ISIને સારું દર્શાવવામાં આવ્યું છે અને એ ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે. આ ફિલ્મમાં ભારતની સ્ક્રિપ્ટ છે અને વગર કોઈ દ્વેષ કે જજમેંટ વિના દેશને મહાન બનાવે છે. આ ભારતનો પ્રેમ છે જેને દુશ્મનોની નફરત અને રાજનીતિ પર જીત મેળવી છે.
All those who are claiming Pathan is triumph of love over hate,I agree but whose love over whose hate? Let’s be precise, whose is buying tickets and making it a success?Yes it is India’s love and inclusiveness where eighty percent Hindus lives and yet a film called Pathan (cont)
કંગનાએ કહ્યું- માત્ર શ્રીરામ જ ગુંજશે
કંગના રનૌત આગળ લખ્યું હતું કે 'પણ એ બધા લોકો માટે જેમને ઘણી આશાઓ છે… પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે… ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ… જય શ્રી રામ.' અભિનેત્રીએ તેના ટ્વીટમાં પઠાણ માટે યોગ્ય નામ પણ સૂચવ્યું હતું. કંગનાએ લખ્યું- મને ખાતરી છે કે ભારતના મુસ્લિમો દેશભક્ત છે અને અફઘાની પઠાણોથી અલગ છે. ભારત ક્યારેય અફઘાનિસ્તાન ન બની શકે. આપણે બધા જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે અને એ નર્કથી પણ વધુ ખરાબ છે. એટલા માટે ફિલ્મની સ્ટોરીલાઇન મુજબ ફિલ્મ પઠાણનું સાચું નામ ભારતીય પઠાણ રાખી શકાયું હોત.'
કંગના આ દિવસોમાં ઘણી ટ્રોલ થઈ રહી છે
કંગના ટ્વીટ તો કરે છે પરંતુ તે પછી તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવે છે. જો કે તેનો મિજાજ જોઈને લાગતું નથી કે તેને લોકોની નફરતમાં કોઈ ફરક પડ્યો હશે. કનવી દઈએ કે એક ટ્વિટર યુઝરે પણ શાહરૂખના 'પઠાણ'ના કલેક્શનને લઈને કંગનાને ટ્રોલ કરી હતી અને કંગનાએ પણ આનો જડબાતોડ જવાબ આપ્યો હતો.