બોલિવૂડની એકટ્રેસ કંગના રનૌત સોશ્યિલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તેમના ટ્વિટ સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા રહે છે. થોડા દિવસો પહેલાં ખેડૂત આંદોલનને લઈને તે ચર્ચામાં રહી અને આ આંદોલનનો વિરોધ કરી રહી છે. ખેડૂતોએ ભારત બંધ રાખ્યું છે તો તેઓએ ભારત બંધની વિરોધમાં ટ્વિટ કર્યું છે જે ખાસ્સું વાયરલ થઈ રહ્યું છે. કંગનાએ પોતાના ટ્વીટમાં સદ્ગગુરુનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેમાં તેઓ પ્રોટેસ્ટને લઈને વાત કરતી જોવા મળી રહી છે.
કંગના રનૌતે કર્યું ટ્વિટ
ભારત બંધને લઈને ખેડૂતોના વિરોધમાં કર્યું ટ્વિટ
કંગનાનું ટ્વિટ થયું વાયરલ
કંગના રનૌતે ટ્વિટમાં એક વીડિયો મૂક્યો છે અને લખ્યું છે કે આઓ ભારતને બંધ કરી દઈએ, આ તો તૂફાનોની કમી નથી આ નાવને, મગર લાઓ કુલ્હાડી અને થોડા છેદ પણ કરી દઈએ. રહ રહ કે રોજ મરતી હૈ હર ઉમ્મીદ યહાં, દેશભક્તો સે કહો, અપને દેશ કા એક ટુકડા અબ તુમ ભી માંગ લો, આ જાઓ સડક પે ઔર તુમ ભી ઘરણાં દો, ચલો આજ યહ કિસ્સા હી ખતમ કરતે હૈ.
आओ भारत को बंद कर देते हैं, यूँ तो तूफ़ानों कि कमी नहीं इस नाव को, मगर लाओ कुल्हाड़ी कुछ छेद भी कर देते हैं, रह रह के रोज़ मरती है हर उम्मीद यहाँ, देशभक्तों से कहो अपने लिए देश का एक टुकड़ा अब तुम भी माँग लो, आजाओ सड़क पे और तुम भी धरना दो, चलो आज यह क़िस्सा ही ख़त्म करते हैं 🙂 https://t.co/OXLfUWl1gb
કંગનાનું આ ટ્વિટ ઘણું વાયરલ થઈ રહ્યું છે. કંગનાના સપોટર્સ તેના સપોર્ટમાં છે અને કેટલાક તેની ટ્વિટની આલોચના કરી રહ્યા છે.
પહેલાં કંગના ખેડૂત આંદોલન પર કરાયેલા એક ટ્વિટને લઈને ચર્ચામાં રહી. તેમાં કંગનાએ પ્રોટેસ્ટમાં આવેલી એક વૃદ્ધ મહિલાને 100 રૂપિયા દહાડીના આંદોલનકારી કહ્યું હતું. જે દિવસે શાહીનબાગની જેમ આા ધરણાંનું રહસ્ય ખૂલશે ત્યારે એક શાનદાર સ્પીચ હું લખીશ અને તમારા લોકોનું મોઢું કાળું થશે. આ ટ્વિટ પણ ઘણી ચર્ચામાં રહી અને ત્યારબાદ તેઓએ ટ્વિટ ડિલિટ કરી હતી.
આ ટ્વિટને લઈને પંજાબી કલાકારોએ કંગના પર નિશાન સાધ્યું. દિલજીત દોસાંઝ અને હિમાંશી ખુરાનાએ સોશ્યલ મીડિયા પર કંગનાની આલોચના કરી હતી.