કંગના રણૌત પોતાના હાજર જવાબ માટે ખુબ જાણીતી છે. તે પોતાની વાત કહેવામાં ક્યારેય ખચકાતા નથી. બોલીવૂડમાં હોય કે દેશની અન્ય કોઈ વાત કંગના પોતાની વાત ખુબ સ્પષ્ટતાથી કરી શકે છે. હાલમાં જ જાણીતા અભિનેતા સૈફ અલી ખાનના એક નિવેદન પર કંગનાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે તે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ. આ પહેલાં પણ દીપિકા પાદુકોણનાં જેએનયુ જવાના વિવાદ મુદ્દે પણ કંગનાએ જવાબ આપ્યો હતો.
સૈફ અલી ખાને ભારતનાં ઈતિહાસ પર આપ્યું હતું વિવાદિત નિવેદન
સૈફ અલી ખાન સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ
કંગનાએ સૈફને યાદ આપવ્યો ભારતનો ઈતિહાસ
શું છે આખો વિવાદ?
તાન્હાજી ફિલ્મમાં વિલેનનો રોલ કરનાર સૈફ અલી ખાનનો રવિવારે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે 'તાન્હાજીમાં જે બતાવવામાં આવ્યું છે તે ભારતનો ઈતિહાસ નથી'. સૈફએ કહ્યું કે 'અંગ્રેજો આવ્યા તે પહેલાં ભારતનું કોઈ અસ્તિત્વ જ ન હતું.' ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ મુદ્દે સૈફ અલી ખાને કહ્યું કે 'ફિલ્મમાં માર રોલ સારો હતો પરંતુ અમુક કારણોથી હું સ્ટેન્ડ નાં લઇ શક્યો. કદાચ આવતા સમયમાં હું લઇ શકું.'
કંગનાએ યાદ અપાવ્યો ભારતનો ઈતિહાસ
એવામાં એક ચેનલનાં ઈન્ટરવ્યુમાં કંગનાએ સૈફ અલી ખાનનાં કોન્સેપ્ટ પર સવાલ ઉઠાવ્યો છે. કંગનાએ કહ્યું કે 'જો ભારત હતું જ નહીં તો મહાભારત શું છે? 5 હજાર વર્ષ પહેલાં વેદવ્યાસે શું લખ્યું હતું? અમુક લોકોએ એવા નેરેટીવ બનાવેલા છે જે તેમને જ ગમે છે.' કંગનાએ વધુમાં જણાવતાં કહ્યું કે 'મહાભારતમાં શ્રીકૃષ્ણ હતા, તેથી ભારત હતું અને તે મહાન હતું. ભારતનાં બધા રાજાઓએ મળીને યુદ્ધ લડ્યા હતા. યુરોપ જેવા નાના નાના રાજ્યો હતા પરંતુ તેમની અલગ ઓળખાણ હતી. એક કલેકટીવ આઇડેન્ટિટીનું નામ હતું ભારત.'
કંગનાએ આગળ કહ્યું કે 'લોકોએ પોતાના નેરેટીવ બનાવેલા છે જોકે હું ક્યારેય ટુકડે ટુકડે ગેંગ સાથે ઉભી નહિ થાઉં. જોકે આ તેમનો અધિકાર છે તે જેને પ્રોત્સાહિત કરવા માંગે તેને કરી શકે છે. તેના પર આપણે ટીપ્પણી કરીએ તે સારી વાત ન કહેવાય.'