સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અભિનેત્રીએ જાવેદ અખ્તર પર ઘણા પ્રકારના આરોપ લગાવ્યા હતા.
માનહાનિ મામલામાં કોર્ટે આપ્યો કંગનાને ઝાટકો
કેસ રદ્દ કરતી અરજી કોર્ટે ફગાવી
જાવેદ અખ્તરે કંગના વિરૂદ્ધ કર્યો છે માનહાનિનો કેસ
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને બોમ્બે હાઈકોર્ટ ઝટકો આપ્યો છે. હકીકતે તેના વિરૂદ્ધ જાવેદ અખ્તરે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલાને રદ્દ કરવાની અરજી કંગનાએ બોમ્બે હોઈકોર્ટમાં દાખલ કરી હતી જેને કોર્ટે ખારીજ કરી દીધી છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અભિનેત્રીએ જાવેદ અખ્તર પર ઘણા પ્રકારના આરોપ લગાવ્યા હતા. જ્યાર બાદ ગીતકારે તેના વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.
Bombay High Court dismisses actor Kangana Ranaut's plea seeking to quash the defamation proceeding initiated against her by lyricist Javed Akhtar for damaging his reputation by dragging his name in actor Sushant Singh Rajput's death case
જાવેદ અખતર પર કરી હતી ટિપ્પણી
મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ કંગનાએ ટીવી પર ઈન્ટરવ્યૂ આપ્યા હતા જેમાં તેમણે જાવેદ અખતરને લઈને ખોટી ટિપ્પણી કરી હતી. તેમણે જાવેદ અખ્તર પર ઘણા આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ જાવેદ અખ્તરે કંગના વિરૂદ્ધ નવેમ્બર 2020માં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યાં જ મજીસ્ટ્રેટે 1 માર્ચે કંગાન વિરૂદ્ધ જામીન વોરન્ટ જાહેર કર્યો હતો. ત્યાં 25 માર્ચે કંગનાને જામીન મળી ગયા હતા.
કોર્ટે કંગનાની અરજી ફગાવી
ત્યાં જ કંગનાએ આપરાધિક માનહાનિની ફરીયાદ રદ્દ કરવાની કોર્ટ પાસે માંગ કરતા અરજી દાખલ કરી હતી જેના પર જાવેદ અખ્તરે કોર્ટ પાસે આ અરજીને ખારિજ કરવાનો અનુરોધ કર્યો હતો. અખતરે દાવો કર્યો હતો કે કંગનાના નિવેદનથી તેની પ્રતિષ્ઠાવે ઠેસ પહોંચી છે. અખ્તરના વકીલે એનકે ભારદ્વાજને કહ્યું હતું કે મેજીસ્ટ્રેટ કોર્ટે નિયમોનું પાલન કરતા કંગના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યાં જ હવે કોર્ટે કંગનાની અરજી ફગાવી દીધી છે.