હાલમાં જ પોપ સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરતાં સવાલ કર્યો તો પંગા ગર્લ કંગનાએ તેનો સણસણતો જવાબ આપ્યો છે.
ફરી કંગના રનૌત ચર્ચામાં આવી ગઈ છે
પોપ સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરતાં ભડકી કંગના
કંગના અને રિહાનાના ટ્વિટ થઈ રહ્યાં છે વાયરલ
ખેડૂત આંદોલનને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો અને કેન્દ્ર સરકારની વચ્ચે કોઈ ઉકેલ આવી રહ્યો નથી. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને દિલ્હીની સીમાઓથી હટવાનું નામ લથી લઈ રહ્યાં. 26 જાન્યુઆરીએ જે કંઈ લાલ કિલ્લા પર થયું, તેનાથી ખેડૂત આંદોલનની દિશા બદલાઈ ગઈ, પરંતુ સરકાર પોતાના નિર્ણયથી પાછળ હટવા તૈયાર નથી. બીજી તરફ, ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાનો હક લઈને રહેશે.
ખેડૂતોના આંદોલનને લઈ બોલિવૂડ સેલેબ્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. હિમાંશી ખુરાના, સોનુ સૂદ, દિલજીત દોસાંજ, સ્વરા ભાસ્કર સહિત અનેક સેલેબ્સ આ આંદોલનનું સમર્થન કરતા આવ્યા છે. જ્યારે બીજી તરફ કંગના રનૌત આ સેલેબ્સ પર ભડકતી જોવા મળી છે. હાલમાં જ પોપ સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરતાં સવાલ કર્યો તો પંગા ગર્લ કંગનાએ તેનો સણસણતો જવાબ આપ્યો છે.
No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA...
Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a
પોપ સિંગર રિહાનાએ ટ્વિટર પર એક ન્યૂઝ શેર કર્યા છે, જેમાં ખેડૂત આંદોલનના કારણે પ્રભાવિત ઇન્ટરનેટ સેવાનો ઉલ્લેખ છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ખેડૂત આંદોલને કારણે હરિયાણાના અનેક જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે રિહાનાને ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે માહિતી મળી તો તે પણ ચૂપ ન રહી શકી. રિહાનાએ ન્યૂઝ આર્ટિકલને શેર કરતાં કેપ્શનમાં લખ્યું- આપણે આ વિશે વાત કેમ નથી કરી રહ્યાં? #FarmersProtest
રિહાનાની ટ્વિટને જોઈ કંગના ભડકી ગઈ અને તેણે ટ્વિટને રિટ્વીટ કરીને લખ્યું કે, આ વિશે કોઈપણ વાત એટલા માટે નથી કરી રહ્યું, કારણ કે આ ખેડૂતો નથી પરંતુ આતંકવાદી છે, જે ભારતના ભાગલા પાડવા માંગે છે. જેથી ચીન જેવા દેશ અમારા રાષ્ટ્ર પર કબજો કરી લે અને યૂએસએ જેવી ચાઇનીઝ કોલોની બનાવી દે. તું શાંત બેસ બેવકૂફ. અમે લોકો તમારા જેવા મૂર્ખ નથી જેઓ પોતાના દેશને વેચી દે.
સોશિયલ મીડિયા પર બંનેના ટ્વિટ્સ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બંનેના પ્રશંસકો પણ આ મામલેપોતપોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા. આવું પહેલીવાર નથી જ્યારે કંગનાએ આ પ્રકારે કોઈને ખેડૂત આંદોલન વિશે આડે હાથ લીધા હોય. ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહેલાં સેલેબ્સની પણ તેણે સોશિયલ મીડિયા પર ઝાટકણી કાઢી છે.