બોલીવૂડ અભિનેત્રી કંગના અને તેની બહેન રંગોલી પર કેસ ચાલી રહ્યો છે. ત્યારે કંગનાએ શિવસેના વિરુદ્ધ નિવેદન આપ્યુ છે.
કંગના પહોંચી સુપ્રિમની શરણે
કંગનાએ શિવસેના પર લગાવ્યા આરોપ
રંગોલી અને કંગનાના જીવને જોખમ : એક્ટ્રેસ
કંગનાએ પોતાની જીંદગી પર ખતરો બતાવતા કેસને મુંબઇથી હિમાચલ પ્રદેશન ટ્રાંસફર કરવાની વિનંતી કરી છે. કંગનાનુ કહેવું છે કે, જો મુંબઇમાં જ આ કેસ ચાલ્યો તો તેના જીવન પર ખતરો છે, તેનો જીવ પણ જઇ શકે છે.
કંગના અને રંગોલી પર મુંબઇમાં ત્રણ ક્રિમીનલ કેસ ચાલી રહ્યાં છે. વકીલ અલી કાશિફ ખાન દેશમુખે અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ અંધેરી મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ અપરાધિક ફરિયાદ નોંધાવી હતી. આવામાં કંગનાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે શિવસેના જાણીજોઇને તેને હેરાન કરવામાં આવી રહી છે. એક્ટ્રેસનું કહેવું છે કે મુંબઇમાં તેમના જીવને ખતરો છે.
પોતાની અરજીમાં કંગનાએ શિવસેનાના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે કેસને હિમાચલ પ્રદેશમાં ટ્રાંસફર કરી દેવામાં આવે.
કંગનાને આ વોરંટ હિન્દી સિનેમાના મશહૂર લેખક અને ગીતકાર જાવેદ અખ્તરની માનહાની મામલે આપવામાં આવ્યો છે. ગયા વર્ષે જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કેમ કરી હતી ફરિયાદ
અભિનેત્રી કંગના વિરુદ્ધ તેમણે ત્યારે ફરિયાદ નોંધાવી જ્યારે કંગનાએ તેના એક ઇન્ટરવ્યૂમાં સુશાંતના મોત મુદ્દે જાવેદ અખ્તર પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. કંગનાએ પણ આ જ આરોપો વિરુદ્ધ માનહાનિનો કેર કર્યો હતો.
મહત્વનું છે કે પહેલા મેજીસ્ટ્રેટ કોર્ટે આ મામલે 1 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી તે સમયે કંગનાને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો પરંતુ કંગના કોર્ટમાં હાજર રહી નહોતી. આગળની સુનાવણી 1 માર્ચના રોજ કરવામાં આવી હતી. કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ જાહેર કર્યુ છે.
જાવેદ અખ્તર કોર્ટમાં
સોમવારે જ્યારે આ મામલાની સુનાવણી થઇ ત્યારે જાવેદ અખ્તર કોર્ટમાં સમયે પહોંચી ગયા હતા. તેની વકીલ વૃંદા ગ્રોવરે તેનો પક્ષ પણ રાખ્યો તો બીજી તરફ કંગનાના વકીલ આ સુનાવણી પર નહોતા પહોંચ્યા. અભિનેત્રીના જુનીયર વકીલે જણાવ્યું કે કંગના તરફથી સિનીયર વકીલ બપોરે આવશે, જેના પર મેજીસ્ટ્રેટ આર આર ખાને ખુબ ખખડાવ્યા હતા.