કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા અગ્નિપથ યોજનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે BJP નેતાઓ આ યોજનાના ફાયદા ગણાવી રહ્યા છે. ઘણી વાર તેમના નિવેદનોના કારણે વિવાદ થતાં આ નેતાઓ બેકફૂટ પર આવી જતાં હોય છે.
કેન્દ્રની મોદી સરકાર અગ્નિપથ યોજના અંતર્ગત 4 વર્ષ માટે સેનામાં ભરતી કરશે
ભાજપના નેતાઓ આ યોજનાના ફાયદા ગણાવી રહ્યા છે
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે ભાંગરો વાટ્યો
અગ્નિપથ યોજનાને લઈને દેશના મોટા ભાગના રાજ્યોમાં હોબાળો મચેલો છે. આ તમામની વચ્ચે ભાજપના ફાયરબ્રાંડ નેતાઓ આ યોજનાના ગુણગાન ગાઈ રહ્યા છે. ઈન્દોરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આ બધાથી આગળ નિકળીને જાહેરમાં વટાણા વેરી દીધા હતા, તેમના નિવેદનથી ભારે હોબાળો થયો હતો. કૈલાશ વિજયવર્ગીયે ઈન્દોરમાં કહ્યું હતું કે, ભાજપ ઓફિસમાં અમે જે સિક્યોરિટી રાખીએ છીએ, તેમાં અગ્નિવીરોને અમે પ્રાથમિકતા આપીશું.
#WATCH | I will give preference to an Agniveer to hire him as security in BJP office, even you can...People have faith in armymen: BJP National General Secretary Kailash Vijayvargiya in Indore, Madhya Pradesh pic.twitter.com/6NQoXw2nFv
કૈલાશ વિજયવર્ગીયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત દેશની કેટલીય રાજકીય પાર્ટીઓ તેમના પર માછલા ધોવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, દેશના યુવાનો અને સેનાના જવાનોનું અપમાન તો ન કરો. આપણા દેશના યુવાનો રાત દિવસ મહેનત કરીને ફિઝિકલ ટેસ્ટ પાસ કરે છે. ટેસ્ટ પાસ કરે છે કેમ કે, તેમને સેનામાં જઈને પોતાના સપના પુરા કરી દેશની સેવા કરવા માગે છે. એટલા માટે નહીં કે ભાજપની ઓફિસોમાં ગાર્ડ બનવા માગે છે.
देश के युवाओं और सेना के जवानों का इतना अपमान मत करो।
हमारे देश के युवा दिन-रात मेहनत करके फ़िज़िकल पास करते हैं, टेस्ट पास करते हैं, क्योंकि वो फ़ौज में जाकर पूरा जीवन देश की सेवा करना चाहते हैं, इसलिए नहीं कि वो BJP के दफ़्तर के बाहर गार्ड लगना चाहते हैं। https://t.co/PQ8B30FYHz
હકીકતમાં જોઈએ તો, બિહાર, યુપી અને બાદમાં એમપીમાં પણ અગ્નિપથ યોજનાને લઈને હોબાળો મચેલો છે. ઈન્દોરમાં સેનામા જવા માગતા યુવાનો સતત વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. રવિવારે કૈલાસ વિજયવર્ગીયે મીડિયા સાથે વાત કરતા ઈન્દોર ભાજપ ઓફિસ પહોંચ્યા હતા. કૈલાસ વિજયવર્ગીયને તેને લઈને સવાલો કરવામાં આવ્યા હતા. તો તેમણે પહેલા તો આ યોજનાના ફાયદા ગણાવા લાગ્યા હતા. ત્યાર બાદ કહ્યું કે, અગ્નિવીર તરીકે સેવા આપ્યા બાદ તેઓ બહાર આવશે, તો તેમના હાથમાં 13 લાખ રૂપિયા હશે. સાથે જ તેમને અગ્નિવીરનો મેડલ પણ મળશે. કૈલાશ વિજયવર્ગીયે આગળ કહ્યું કે, અમે ભાજપ કાર્યાલયમાં સિક્યોરિટી રાખીશું તો, અહીં પણ અમે અગ્નિવીરોને પ્રાથમિકતા આપીશું.
अग्निपथ को लेकर सारी शंकाए दूर कर दी- भाजपा के कैलाश विजयवर्गीय ने।
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવના આ પ્રકારના નિવેદન બાદ હોબાળો થયો હતો, અને કોંગ્રેસે કહ્યું કે, અગ્નિપથને લઈને તમામ શંકાઓ દૂર કરી દીધી, આ સત્યાગ્રહ આ પ્રકારની માનસિકતા વિરુદ્ધમાં છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીના જંતર મંતર પર કોંગ્રેસ પાર્ટી આ યોજનાની વિરુદ્ધમાં સત્યાગ્રહ આંદોલન કરી રહી છે.