કચનારનું ફૂલ ઘણા રોગોને જડમૂળથી ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફૂલના ઝાડના પાન, દાંડી અને ફૂલો તમામાં ઔષઘિયો ગુણ હોય છે. ગુલાબી કચનાર ફૂલને સૌથી સારું માનવામાં આવે છે. કચનાર શરીરના કોઇ પણ ભાગમાં થનારી ગાંઠને ઓગાળવાની તાકાત રાખે છે.
આટલું જ નહીં બ્લડથી જોડાયેલી સમસ્યા અને સ્કીન રોગ જેમ કે દાદર, ખરજવું ખણ, એક્ઝીમા, ફોડલી વગેરે માટે પણ કચનારની છાલ ખૂબ જ ઉપયોગી છે. એના ફૂલ, છાલને રોગ અનુસાર ઉપયોગ કરવામાં આવે છે. આ એટલું લાભદાયક હોય છે કે એનો પ્રયોગ થોડાક દિવસ કરવાથી રોગ ઠીક થવા લાગે છે.
પાઇલ્સ
કચનારની છાલનો એક ચમચી પાઉડર, એક કપ છાસ સાથે દિવસમાં ત્રણ વખત લેવાનું શરૂ કરી દો. આવું કરવાથી બવાસીર ઠીક થઇ જાય છે. એની સાથે જ કચનારની કળીઓના પાઉડરને માખણ અને ખાંડ સાથે મિક્સ કરીને 11 દિવસ સુધી સતત ખાતા રહો.
આંતરડામાં કીડા
આંતરડામાં જો તમને કીડા હોય તો તમે કચનારની છાલનો કાઢો બનાવીને પીવો, દિવસમાં બે વખત દરરોજ 11 દિવસ સુધી કાઢો પીવો.
સોજા
શરીરમાં ક્યાંય પણ સોજા હોય તો ત્યાં કચનારની ડાળીને પાણીમાં ઘસીને લેપ બનાવી લો અને એને ગરમ કરીને લગાવો.
બ્રેસ્ટ પર થનારી ગાંઠ
કચનારની છાલને પીસીને પાઉડર બનાવી લો. એક ચમચી પાઉડરમાં લગભગ અડધી ગ્રામ સૂંઠને ચોખા ધોયા બાદ બચેલા પાણીમાં મિક્સ કરો અને એનો લેપ તમારા બ્રેસ્ટ પર લગાવો, દિવસમાં ત્રણ વખત લેપ લગાવવાથી થોડાક જ દિવસોમાં ગાંઠ ઓગળી જશે.
ઘાવ
કચનારની છાલનો કાઢો બનાવીને સવાર સાંજ પીવાથી ઘાવ ઠીક થઇ જાય છે. કચનારના ઔષધિયો ગુણોને નકારી શકાય નહીં, કારણ કે એમાં એવા ઘણા તત્વ મળી આવે છે જે રોગોને દૂર કરવા માટે ખૂબ કારગર છે.