જસ્ટિસ યૂયૂ લલિતે સુપ્રીમ કોર્ટના 49માં ચીફ જસ્ટિસ તરીકે આજે શપથી લીધા છે.શપથગ્રહણ બાદ તુરંત યૂયૂ લલિતે ત્યાં હાજર પિતાના આશીર્વાદ લીધા હતા.
દેશના 49માં ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા બન્યા યૂયૂ લલિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને લેવડાવ્યા શપથ
શપથગ્રહણ કર્યા બાદ ચીફ જસ્ટિસે પિતાના આશીર્વાદ લીધા
જસ્ટિસ યૂયૂ લલિતે સુપ્રીમ કોર્ટના 49માં ચીફ જસ્ટિસ તરીકે આજે શપથી લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ ચીફ જસ્ટિસે રાષ્ટ્રપતિ અને ત્યાં હાજર ગણમાન્ય લોકોને હાથ જોડી અભિવાદન કર્યું. રજિસ્ટર પર હસ્તાક્ષર કર્યા, તાળીયોનો ગ઼ડગડાટ થયો અને ફરી એક વાર રાષ્ટ્રપતિને પ્રણામ કર્યા. ત્યાર બાદ જસ્ટિસ લલિત મંચ પરથી ઉતર્યા અને સીધા પ્રથમ હરોળમાં બેઠેલા પિતા સીનિયર એડવોકેટ યુઆર લલિતના ચરણસ્પર્શ કર્યા હતા. આ દ્રશ્ય જોઈ રાષ્ટ્રપતિ ભવનમાં તાળીઓનો ગડગડાટ થયો હતો. તેમણે પરિવારના અન્ય સભ્યોના પણ આશીર્વાદ લીધા હતા.
જસ્ટિસ લલિતનો કાર્યકાળ 74 દિવસનો રહેશે. તેઓ આઠ નવેમ્બરના રોજ રિટાયર થશે. ત્યાર બાદ સૌથી સીનિયર જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનશે. જસ્ટિસ લલિતને 2014માં સીધા બારમાંથી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનાવ્યા હતા. આ અગાઉ 1971માં જસ્ટિસ એસએમ સિકરી પ્રથમ ચીફ જસ્ટિસ હતા. જે સીધા બારમાંથી આવ્યા હતા. શનિવારે આયોજીત કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કાયદા મંત્રી કિરણ રિજિજૂ સહિત અન્ય ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા.
Justice Uday Umesh Lalit sworn-in as Chief Justice of India. President Draupadi Murmu administered him oath as the 49th Chief Justice of India at Rashtrapati Bhawan.
જસ્ટિસ લલિતનો જન્મ 9 નવેમ્બર 1957ના રોજ થયો હતો. તેમણે મહારાષ્ટ્રમાંથી વકીલાતની શરુઆત કરી હતી, 1983માં બોમ્બે હાઈકોર્ટમાંથી આ શરુઆત કરી હતી. 1986માં દિલ્હીમાં તેઓ શિફ્ટ થયા. તેઓ ક્રિમિનલ કેસમાં શાનદાર કામ કરનારા વકીલોમાં તેમનું નામ સામેલ છે. 2જી કેસમાં તેમણે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ પીપી 2011માં બનાવામા આવ્યા હાત. 13 ઓગસ્ટ 2014માં તેમણે બારમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.
જસ્ટિસ લલિતે અયોધ્યા કેસમાં સુનાવણીથી પોતાની જાતને અલગ રાખી હતી, કારણ કે તેઓ બાબરી વિધ્વંસ કેસમાં કલ્યાણ સિંહ માટે કંટેપ્ટ કેસમાં હાજર રહ્યા હતા. ત્રણ તલાકને ગેરબંધારણીય કરાર આપવાની સંવૈધાનિક બેન્ચનો લલિત ભાગ રહ્યા હતા. સાથે જ હાલમાં જ બોમ્બે હાઈકોર્ટના પોક્સો મામલામાં સ્કીન ટૂ સ્કીન સંબંધિત વિવાદીત નિર્ણયને તેમને પલ્ટી દીધો હતો. ચીફ જસ્ટિસ લલિતે કહ્યું કે, તેઓ ત્રણ મુખ્ય પરિવર્તન કરશે. જેમાં લિસ્ટિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવશે. સંબંધિત બેન્ચની સામે અર્જેંટ કેસની સુનાવણી માટે કેસ ઉઠાવવા મામલે સિસ્ટમ રાખવાની સાથે એક સંવૈધાનિક બેન્ચ હંમેશા બેસશે, જે સંવૈધાનિક મામલાની સુનાવણી આખુ વર્ષ કરશે.