રાજ્યના ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામા સવારે 11થી12 વાગ્યા દરમિયાન જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાશે
આગામી 29 જાન્યુઆરીના રોજ જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા
ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામા સવારે 11થી12 દરમિયાન યોજાશે પરીક્ષા
રાજ્ય મા કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર 31,994 વર્ગખંડોમા પરીક્ષા યોજાશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાને લઈ સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે. આગામી 29 જાન્યુઆરીના રોજ જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાશે. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામા સવારે 11થી 12 દરમિયાન પરીક્ષા યોજાશે. રાજ્યમાં કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર 31,794 વર્ગખંડોમા યોજાશે તેમજ તમામ કેન્દ્રો પર સિસિટીવી કેમેરાનું લાઈવ રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. કુલ 9 લાખ 53 હજાર 723 ઉમેદવારોએ અરજી કરી હતી.
70 હજાર સ્ટાફ રોકાયેલો રહેશે
તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં 100ટકા સીસીટીવી કેમેરા સહિત લાઈવ રેકોર્ડીંગ કરવામાં આવશે. તેમજ પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે 42 જેટલા સ્ટ્રોંગરૂમ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. સ્ટ્રોંગરૂમમાં 24X7 હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તમામ જિલ્લાઓ ખાતે પરીક્ષાનું સંચાલન કરવા માટે 7500 જેટલા પોલીસ કર્મીઓ સહિત આશરે 70,00 જેટલો સ્ટાફ રોકવામાં આવશે.
91 જેટલી ફ્લાઈંગ સ્કવોડ ટીમ તૈનાથ રહેશે
પરીક્ષા પૂરતી સુરક્ષા અને તકેદારી સાથે યોજાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં હથિયારધારી પોલીસ અને સીનીયર અધિકારી ધરાવતી 291 જેટલી ફ્લાઈંગ સ્કવોડ રાખવામાં આવી છે. જિલ્લાના સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષા લક્ષી સીલબંધ મટીરીયલ પહોંચાડવા માટે કુલ-૯૩૯ જેટલા રૂટ બનાવવામાં આવેલ છે. અને દરેક રૂટવાહનને હથિયારધારી પોલીસ બંદોબસ્ત હેઠળ રૂટ સુપરવાઈઝર દ્વારા મોકલવામાં આવશે.
ઈલેકટ્રોનીકસ ગેઝેટ લઇ જવા ઉપર પ્રતિબંધ
ઉમેદવારો સુરક્ષિત તેમજ કાયદો વ્યવસ્થા અંતર્ગત શાંતિપૂર્ણ વાતારવણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ જિલ્લામાં પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો ખાતે મહિલા ઉમેદવારો માટે મહિલા પોલીસ કર્મીઓ અને પુરૂષ ઉમેદવારો માટે પુરૂષ પોલીસ કર્મીઓ ધ્વારા ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલા ફ્રીસ્કીંગ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લુ-ટુથ, ઇયર ફોન વિગેરે ઇલેકટ્રોનીકસ ગેઝેટ લઇ જઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગેના પ્રતિબંધક જાહેરનામાં સંબંધિત સક્ષમ અધિકારી દ્વારા બહાર પાડી દેવામાં આવ્યા છે.
હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કરાશે કાર્યવાહી
સાથે જ પરીક્ષાર્થીઓને ન ખલેલ પહોંચે તે રીતે માઇક, મ્યુઝીક, લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. મહત્વનું છે કે, આ અગાઉ પરીક્ષાના પેપરો ફૂટ્યા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રમાં નિમાયેલ અધિકૃત સ્ટાફ તથા પરીક્ષાર્થીઓ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ
જે મુજબ પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તેમજ કોઈ ડિસ્ટર્બન્સ ન થાય તે માટે પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકોના એકત્ર થવા અથવા ભેગા થવા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથે સરઘસ અથવા રેલી કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.