જૂનાગઢ મનપાનીં ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે તમામ કોર્પોરેટરોને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ શપથ લેવડાવ્યા છે. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી સહિત ઘણા આગેવાનોએ હાજરી આપી હતી.
આ દરમિયાન સીએમ રૂપાણીએ કહ્યું કે, જૂનાગઢવાસીઓનો આભાર માનું છું. ગતરોજના પરિણામોમાં જનતાએ ફરી કેસરિયો લહેરાવી દીધો છે. સમગ્ર ગુજરાતમાં 110થી વધુ પેટાચૂંટણીમાં ગુજરાત ફરી કેસરિયો લહેરાવ્યો છે. જનતાએ ભારે મતોથી ભાજપને જીત અપાવી છે.
આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા CM રૂપાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ વિકાસ વિરોધી પાર્ટી છે અને જનતાને ભરમાવવાની કોશિશ કરે છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસના કામો પર લોકોએ ભરોસો મૂક્યો છે અને કોંગ્રેસને સબક શિખવાડ્યો છે.