રાજ્યામાં ચોમાસુ ગમે ત્યારે દસ્તક લઈ શકે છે. તેવામાં વીટીવીએ રાજ્યના કેટલાક APMCમાં રીયાલિટી ચેક હાથ ધર્યું. પહેલી તસવીરમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢના કેશોદ APMC માર્કેટના છે. રીયાલિટી ચેકમાં સામે આવ્યું કે અહી ચણાની ગુણીઓ ખુલ્લા મેદાનમાં રામ-ભરોશે પડી હતી તો બીજી તસવીરમાં જોવા મળે છે કે ઊંઝા APMC માર્કેટના છે.
અહીં પણ કેશોદ APMC માર્કેટ જેવી હાલત નજરે ચઢી હતી. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું અને ઈસબગુલના ઢગલા ખુલ્લામાં જોવા મળ્યા હતા. મહત્વનું છે કે જો મેધરાજાનું ઓચીંતુ આગમન થાય અને વરસાદ પડે તો જીરું ઈસબગુલ તથા ચણાના પાકને નુકસાન થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઉંઝા APMCમાં હજુ પણ જીરું અને ઈસબગુલના ઢગલાં ખુલ્લામાં જોવા મળ્યા હતા. બીજી તરફ વરસાદના ગમે ત્યારે વધામણા થઈ શકે છે ત્યારે આ ઢગલા હજુ પણ ખુલ્લામાં પડયા રહેતા ચિંતા વધી છે. જો વરસાદ પડે તો આ જીરું સહિત ઈસબગુલને પણ નુકસાન થઈ શકે છે. આ અંગે જ્યારે ઊંઝા APMCના વેપારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓએ કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો