રાજ્યમાં આજે ચાર અલગ અલગ આપઘાતની ઘટનાઓમાં અલગ અલગ જગ્યાએ કુલ 3 લોકોએ આપઘાત કર્યો જ્યારે એક બનાવમાં ત્રણ શ્રમિકો દ્વારા ફિનાઈલ પી આપઘાતની કોશિષ કરી હતી.
રાજ્યમાં આપઘાતના બનાવો વધ્યા
તાપી, સુરત,વલસાડ,જૂનાગઢની ઘટના
પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં આપઘાતની ત્રણ ઘટના સામે આવી છે. જેમાં વલસાડ, સુરત, જૂનાગઢમાં આપઘાતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. તાપીમાં તાપીમાં કુદીને આપઘાત કરનારા યુવકનો મૃતદેહ મળ્યો.પોલીસે આપઘાતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી. તો બીજી બાજુ વલસાડ ધરમપુરના ધામણી ગામમાં રહેતી યુવતીએ આપઘાત કર્યો હતો.યુવતીના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. આ બાજૂ સુરતના અડાજણ વિસ્તારમાં 23 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. તો આ બાજુ જૂનાગઢના કેશોદમાં ફિનાઈલ પીને 3 શ્રમિકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવક બિહારના ખાગરિયા જિલ્લાના છીલાકોડી ગામનો વતની
તાપીમાં 17 માર્ચનાં રોજ યુવકે નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. જેનો મૃતદેહ આજે મળી આવ્યો છે. ત્યારે યુવક છેલ્લા ત્રણ વર્ષથી હજીરાની LNT કંપનીમાં કામ કરતો હતો. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લિવ ઈન રિલેશનમાં રહેતી 20 વર્ષીય યુવતીનો આપઘાત
વલસાડનં ધરમપુરમાં ધામણી ગામમાં રહેતી યુવતીએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે યુવતિ લિવ ઈન રિલેશમાં રહેતી હતી. 20 વર્ષીય યુવતિનાં આપઘાત કરવા પાછળનું કારણ હજું અકબંધ છે. ત્યારે આ મામલો ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
23 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
સુરતમાં અડાજણ વિસ્તારમાં આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે સુરતના અડાજણમાં 23 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ત્યારે યુવકે ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતક અજય રાઠોડ કેટર્સનું કામ કરતો હતો. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
20 જેટલાં શખ્સોએ ઉઘરાણી દરમિયાન ધમકી આપ્યાનો આરોપ
જુનાગઢનાં કેશોદમાં 3 શ્રમિકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. 3 શ્રમિકોએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. શખ્શો દ્વારા ધમકી મળતા શ્રમિકોએ ફિનાઈલ પી આપઘાત કરવાની કોશિષ કરી છે. શ્રમિકો કેશોદમાં ઓવરહેડ ટેન્ક જમીનદોસ્ત કરવા મજૂરી કામે આવ્યાં હતાં. ત્યારે આ મામલે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.