ત્રિપુરામાં ભાજપના અધ્યક્ષ વિપ્લવ દેવ સરકાર પર આવેલા આફતના વાદળો ઘેરાઈ ગયા છે.
ત્રિપુરામાં ભાજપ સરકાર પર સંકટ
ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષ બાદ ભાજપની સરકાર
IPFT ના ધારાસભ્યો પણ સરકારથી ખુશ નથી
ત્રિપુરામાં ભાજપ સરકાર પર સંકટ
ત્રિપુરામાં ભાજપના અધ્યક્ષ વિપ્લવ દેવ સરકાર પર આવેલા આફતના વાદળોને દૂર કરવા માટે થઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પોતે ત્રિપુરા જશે. ભાજપના સહયોગી પાર્ટીના IPFT નેતાઓને દિલ્હી જઈ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી અને પોતાની સમસ્યાઓ જણાવી હતી. ત્રિપુરામાં લેફ્ટની છેલ્લા 25 વર્ષ જૂની સત્તાને પછાડીને ભાજપે પહેલીવાર IPFT સાથે મળીને પોતાની સત્તા બનાવી હતી. જ્યાં ભાજપના કેટલાક ધારાસભ્યો CM વિપ્લવ દેવથી ઘણા નારાજ છે અને આ સમસ્યાને લઈને ઘણી બધી ફરિયાદ કરતાં રહેતા હોય છે. સાથે જ IPFT ના ધારાસભ્યો પણ સરકારથી ખુશ નથી.
ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષ બાદ ભાજપની સરકાર
સૂત્રોના જણાવ્યા મુજબ, IPFTએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને જણાવ્યું છે કે કેટલાય કારણોને લઈ રાજ્ય સરકારથી ખુશ નથી. જે કારણો બતાવ્યા છે તેમાં એક કારણ એ પણ છે કે છેલ્લા દસ વર્ષથી પણ વધુ વર્ષોથી સરકારી કર્મચારીઓનું પ્રમોશન થયું નથી. પણ બીજી બાજુ થોડા સમય પહેલા જ પ્રમોશન માટેથી પધ્ધતિ સરળ કરવામાં આવ્યું હતું.
IPFT ના ધારાસભ્યો પણ સરકારથી ખુશ નથી
સૂત્રોના કહ્યા મુજબ IPFT એ પહેલેથી જ પોતાની સમસ્યાઓ CM વિપ્લવદેવને જણાવી દીધી હતી. થોડા દિવસ પહેલા જ્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી એલ સંતોષ ત્રિપુરા ગયા હતા ત્યારે પણ IPFTના નેતાઓ સામે પણ પોતાની વાત રાખી હતી. હવે જેપી નડ્ડાને મળ્યા બાદ જ તેમના બધા પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી તેમને આશા છે. સાથે જ રાજ્યની ટ્રાઈબલ પ્રજાને ખુશ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.