CAA અને NRCને લઇને સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રૂપાણી સરકાર પર પ્રહાર કર્યા હતા કે બર્માથી આવનાર રૂપાણી સાહેબ તમારા અને તમારા પરિવારની નાગરિકાને સિદ્ધ કરનારા કાગળ ગુજરાતની જનતાને બતાવો. જેનો જવાબ ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ ટ્વિટ કીરને આવ્યો છે.
પ્રશાંત વાળા ટ્વીટ કરીને જિજ્ઞેશને જણાવ્યુ કે અકલ બડી કે ભેંસ
વિજય રૂપાણી પરિવાર પાસે ભારતીય પાસપોર્ટ છે
વિજય રૂપાણી નાનપણથી ભારતીય નાગરીત્વ ધરાવે છે
અમદાવાદમાં જિગ્નેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી રૂપાણી પર કરેલી ટિપ્પણીના મામલે ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ ટ્વિટ કરીને જણાવ્યુ કે અકલ બડી કે ભેંસ. વિજય રૂપાણી પરિવાર પાસે ભારતીય પાસપોર્ટ છે. વિજય રૂપાણી પરિવાર સાથે બે વર્ષના હતા ત્યારે જ ભારત આવી ગયા હતાં. વિજય રૂપાણી નાનપણથી ભારતીય નાગરિત્વ ધરાવે છે. NRC અને CAA મુદ્દે જિજ્ઞેશ મેવાણીએ CM રૂપાણી પર પહેલા ટિપ્પણી કરી હતી.
ભાઈ જીગુ,,અક્કલ બડી કે ભેંસ ??
મુખ્યમંત્રીશ્રી @vijayrupanibjp ના માતા, પિતા બંને પાસે ભારતીય પાસપોર્ટ હતો. શ્રી વિજયભાઈ બે વર્ષના હતા ત્યારથી તેમનો પરિવાર બર્મા છોડી ભારત આવી ગયો હતો. તેઓ નાનપણથી જ ભારતીય નાગરિક છે.@jigneshmevani80 અક્કલકા પ્રદર્શન મત કરો દિમાગ કી બત્તી જલાઓ. https://t.co/Jie5Vi39kr
મહત્વનું છે કે, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે બર્માથી આવેલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ ગુજરાતની 6 કરોડ જનતાના દસ્તાવેજ માંગતા પહેલા તમે તમારા માતા-પિતાના જન્મસ્થળ, જન્મ તારીખના ડોક્યુમેન્ટ્સ દેખાડો. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, બંધારણની મૂળ ભાવના અને દેશની કોમી એકતાને આગ લગાવનારા આ કાળા કાયદાને લાગૂ કરવા માટે સરકાર તરફથી જે પણ પ્રસ્તાવ પાસ કરવામાં આવશે તેને આગ લગાવીને આ કાળા કાયદાનો વિરોધ કરવામાં આવશે.
કોઇ પણ સંજોગોમાં CAAના સમર્થનમાં નથીઃ મેવાણી
મેવાણીએ કહ્યું હતું કે અમે કોઇ પણ સંજોગોમાં CAA, NPRના સમર્થનમાં નથી. CAAનો કાયદો ગેરબંધારણીય કાયદો છે. જ્યારે પણ NPR માટે દસ્તાવેજ બતાવાના હશે. અમે નહીં બતાવીએ. અમે અમારી ઓળખ નહીં આપીએ. અને સામૂહિક આંદોલન કરીશું.