ઝારખંડમાં મોડી રાતે નક્સલીઓએ ગયાધનબાદ રૂટ પર હજારીબાગ સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉડાવી દીધો છે. નક્સલીઓએ આ હુમલા માટે ચિચાકી અને કર્માબાંધ સ્ટેશન વચ્ચે ટ્રેકને પસંદ કર્યો. જેના કારણે હાવડા-નવી દિલ્લી રેલ લાઇવ સેવાને અસર થઇ છે.
આ રૂટ પર ટ્રેનોની અવર જવર અટકાવવી પડી છે. રાજધાની એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો પાસેના સ્ટેશન પર ફસાઇ ગઇ છે. રેલવેના અધિકારી અને આરપીએફના જવાન ઘટના સ્થળે પહોચી ગયા છે.
ઝારખંડમાં નક્સલીઓ દ્વારા બંધ હજારીબાગ સ્ટેશન પાસે પાટા પર વિસ્ફોટ પાટાને નુકસાન થતાં અનેક ટ્રેનોને અસર