ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટી અને ટાસ્ક ફોર્સની બેઠકમાં તજજ્ઞો કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે
કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના
તજજ્ઞો કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે
ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી છે
કોર કમિટી અને ટાસ્ક ફોર્સની બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. તજજ્ઞો કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે. આજની બેઠક બાદ જણાવ્યું કે, ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી છે. કોવિડ ટાસ્કફોર્સના તજજ્ઞોએ તમામ બાબતે ચર્ચા કરી હતી. સાથે કહ્યું કે, બીજી લહેરના અનુભવના આધારે તૈયારીઓ શરૂ કરી હતી. ટેસ્ટિંગ વધારવા, કોવિડ પ્રોટોકોલનું પાલન કરવુ જરૂરી રહેશે. અને ત્રીજી લહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની તૈયારીને લઇને પ્લાન કરીશું. તેવું પણ તજજ્ઞોએ જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ બેઠક અંગે આપી માહિતી
સરકારની કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચેની બેઠક અંગે અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, ગામડાઓમાં બેડ વધારવા, વેક્સિનેશન, સારવારની સુવિધાઓ વધારવાની કામગીરી કરવામાં આવશે. સાથે આજની બેઠકમાં ચર્ચા કરાયેલા મુદ્દા પર 3 દિવસમાં વિસ્તૃત પ્લાનિંગ કરવામાં આવશે. સાથે જયંતિ રવિએ કહ્યું કે, મારું ગામ કોરોના મુક્ત અભિયાન દ્વારા ગામડાઓમાં કોરોનાના સંક્રમણ ઘટાડવા માટે કાર્યરત છે. કોર કમિટી અને ટાસ્ક ફોર્સની સંયુક્ત બેઠકમાં તજજ્ઞોના મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા.
માત્ર 20 ટકા જ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છેઃ તજજ્ઞો
તબીબોએ કહ્યું કે, દર્દીઓ લક્ષણોના આધારે RT-PCR ટેસ્ટ કરાવે છે. પરંતુ પોઝિટીવ દર્દીને જો કોઈ ખાસ લક્ષણ જોવા મળતા નથી. તો હોસ્પિટલમાં દાખલ થવા જેવી સારવાર તરફ ભાગવું જોઈએ નહીં. કોવિડ પોઝિટીવ દર્દીમાંથી માત્ર 20 ટકા દર્દીને હોસ્પિટલમાં સારવારની જરૂર પડે છે. અન્ય દર્દીઓની સારવાર દવાના આધારે ઘરે પણ સારવાર કરી શકાય છે. સાથે તજજ્ઞોએ કહ્યું કે, કોરોના પોઝિટીવ દર્દીઓને જરૂરી દવાઓનો જ ઉપયોગ કરવા સૂચન કરાશે. અનેક બીનજરૂરી હાઈપાવરની દવાથી આડ અસર પણ પડી શકે છે.
રેમડેસિવિર ઈન્જેક્શન અંગે તબીબોનું સૂચન
રેમડેસિવિર અંગે તબીબોએ કહ્યું કે,રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી. કોઈ રિસર્ચમાં દવાથી જીવ બચી શકાય તેવું પૂરવાર થયું નથી. પરંતુ રેમડેસિવિરનો ફાયદોએ છે કે, દર્દીઓના સારવારનો સમય ઘટાડી શકાય છે. અને હોસ્પિટલમાં દર્દીઓનું રોકાણ ઘટાડી શકાય છે. સાથે તબીબોએ કહ્યું કે, બીમારીની શરૂઆતમાં સ્ટિરોઈડના ડોઝથી નેચરલ કોર્સને નુકસાન થાય છે. પરંતુ તબીબોએ કહ્યું કે, સ્ટીરોઈડનો ઉપયોગ બીજા તબક્કામાં કરવો જોઈએ. અને મ્યુકોર્માઇકોસિસ થવાનું એક કારણ સ્ટીરોઈડના હાઈડોઝ પણ દર્શાવ્યું છે.
રાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત ડૉક્ટરોને સોંપાઈ જવાબદારી