ગુજરાતમાં આજે કોરોના વાયરસના વધુ નવા 135 કેસ નોંધાયા છે. વધુ 8 દર્દીઓનો ભોગ લીધો છે. આમ રાજ્યમાં 24 કલાકમાં કુલ 230 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે કોરોના ફેલાવા અંગે રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ મહત્વનું નિવેદન આપ્યું છે.
કોરોના વાયરસના રાજ્યમાં વધુ 135 કેસ
ACના કારણે વધે કોરોનાનું સંક્રમણઃ જયંતિ રવિ
સેન્ટ્રલ ACથી સંક્રમણ વધી શકે છેઃ એઇમ્સના ડાયરેક્ટર
ACના વધુ પડતા વપરાશના કારણે પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે છે. હોસ્પિટલ અને ઓફિસોમાં ACના કારણે કોરોના વાયરસ ફેલાવાનું જોખમ વધી શકે છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે ACના કારણે વાયરસ ફેલાવવાની સંભાવના વધે છે. તમામ હોસ્પિટલમાં ACને લીધે વધી જોખમ શકે છે. જેથી AC સાથે હવાનું સર્ક્યુલેશન રહે તેવી વ્યવસ્થા કરવા અમે હોસ્પિટલોને સૂચના આપી દીધી છે.
સેન્ટ્રલ ACથી સંક્રમણ વધી શકે છેઃ એઇમ્સના ડાયરેક્ટર
થોડા દિવસ અગાઉ એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ACને કારણે કોરોના ફેલાવા અંગે જણાવ્યું હતું કે, ‘ACથી ખતરો ત્યારે થઈ શકે છે જ્યારે ક્રોસ વેન્ટિલેશન હોય. જો તમારા ઘરના વિન્ડોમાં AC લાગ્યુ છે તો તમારા રૂમની હવા તમારા રૂમ સુધી જ રહેશે. એટલે વિન્ડો AC કે કાર AC વાપરવામાં કોઈ વાંધો નથી. પરંતુ સેન્ટ્રલ ACથી સંક્રમણ વધી શકે છે.
ડૉ.એ વધુમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ ACની હવા તમામ રૂમમાં જાય છે અને જો બીજા રૂમ કે ઓફિસના કોઈ ભાગમાં કોઈ વ્યક્તિ ખાંસી ખાઈ રહ્યો છે અને તેને ઈન્ફેક્શન છે તો તે હવા બીજા રૂમ કે ઓફિસ સુધી ફેલાશે. કેટલાય હોસ્પિટલમાં જ્યાં કોરોનાના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ત્યાં સેન્ટ્રલ AC બંધ કરી હવે વિન્ડો એસી લગાવી રહ્યા છીએ.
રાજ્યમાં વધુ 135 કેસ નોંધાયાઃ જયંતિ રવિ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના વાયરસ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 135 કેસ નોંધાયા છે. વધુ 8 દર્દીનો કોરોના વાયરસે ભોગ લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 230 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાને 179 દર્દીઓએ મ્હાત આપી છે. ગુજરાતમાં કુલ 2407 કેસ નોંધાયા છે. જ્યારે 179 કેસ સાજા થઇ ચૂકર્યા છે. અને કુલ 103 લોકોના મોત થયા છે.
મહત્વનું છે કે, ગુરૂવારથી સવારે એક જ વાર 24 કલાકના કોરોનાના અપડેટ આંકડા જણાવવામાં આવશે. જ્યારે સાંજે કોરોના અંગે પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવશે.