શબ્દોના જાદુગર અને હિન્દી સિનેમાના લેખક અને ગીતકાર જાવેદ અખ્તરનો જન્મ 17 જાન્યુઆરી 1945માં ગ્વાલિયરમાં થયો હતો. પિતા જાં નિસાર અખ્તર પ્રસિદ્ધ શાયર હતા. જ્યારે માતા સફિયા અખ્તર લેખિકા હતા. જાવેદ સાહેબએ કરિયરની શરૂઆત ડાઈલોગ રાઈટીંગથી કરી હતી. ત્યારબાદ તે સફળ ગીતકાર અને સ્ક્રીપ્ટ રાઈટર પણ બન્યા
શબ્દોના જાદુગર અને હિન્દી સિનેમાના લેખક અને ગીતકાર જાવેદ અખ્તરનો જન્મ 17 જાન્યુઆરી 1945માં ગ્વાલિયરમાં થયો હતો. પિતા જાં નિસાર અખ્તર પ્રસિદ્ધ શાયર હતા. જ્યારે માતા સફિયા અખ્તર લેખિકા હતા. જાવેદ સાહેબએ કરિયરની શરૂઆત ડાઈલોગ રાઈટીંગથી કરી હતી. ત્યારબાદ તે સફળ ગીતકાર અને સ્ક્રીપ્ટ રાઈટર પણ બન્યા. તેમણે 8 વાર બેસ્ટ લિરિક્સ માટે ફિલ્મફેયર એવોર્ડ મળી ચુક્યો છે. તેમજ 5 વાર નેશનલ એવોર્ડ મળી ચુક્યો છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
જાવેદ અખ્તર હંમેશા કંઇક અલગ કરવા ઈચ્છતા હતા. તે માટે 1964માં તેઓ મુંબઈ ચાલ્યા ગયા. તે સમયે તેમની પાસે જમવા કે રહેવા માટે પૈસા ન હતા. કેટલાય દિવસો સુધી રસ્તાઓ પર સુતા અને કામ શોધ્યું અને ત્યારબાદ તેમને કમાલ અમરોહીના સ્ટુડિયોમાં જગ્યા મળી ગઈ.
જાવેદ અખ્તર માટે બોલીવુડમાં કરિયર બનાવવું આસાન ન હતું. તેમણે શરૂઆતી સમયમાં ખુબ સંઘર્ષ કર્યો અને એક વાર તે સ્ક્રીપ્ટ લઈને એક પ્રોડયુસર પાસે પહોંચી ગયા. પ્રોડયુસરને સ્ક્રીપ્ટ એટલી ખરાબ લાગી કે સ્ક્રીપ્ટના પાનાં જાવેદના મોં પર માર્યા. અને કહ્યું કે તું જિંદગીમાં ક્યારેય લેખક નઈ બની શકીશ.
આજે જાવેદે બોલીવુડને શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. સલીમ ખાન સાથે કામ કરીને તેમણે પોતાની જોડી હીટ બનાવી. સલીમ ખાન અને જાવેદ અખ્તરને સલીમ-જાવેદ ડીરેક્ટર એસ.એમ સાગરે બનાવ્યા. એસ.એમ.સાગર ને કોઈ પોતાની ફિલ્મ માટે કોઈ લેખક મળતો ન હતો. માટે તેમણે સલીમ-જાવેદને મોકો આપ્યો.
સલીમ ખાન અને જાવેદ અખ્તરની પ્રથમ મુલાકાત સરહદી લુટેરા ફિલ્મના શુટિંગ વખતે થઈ હતી. આ ફિલ્મમાં સલીમ ખાન હીરો હતા. ત્યારબાદ બંનેની દોસ્તીએ બોલીવુડને સુપરહિટ ફિલ્મો આપી. જેમ કે જંજીર, ત્રિશુલ, દોસ્તાના, સાગર, કાલા પથ્થર, મશાલ, મેરી જંગ, મિ.ઈન્ડિયા, દીવાર, શોલે વગેરે ફિલ્મો શામેલ છે. અને આ બંનેની જોડીએ લેખકોને ઓછા પૈસા આપવામાં આવતા તે ટ્રેન્ડને પણ બદલ્યો. જે સમયમાં લેખકને હીરો કરતા ખુબ ઓછા પૈસા મળતા હતા. આ બંનેએ ફિલ્મ દોસ્તાનામાં અમિતાભ બચ્ચન કરતા પણ વધારે તગડી રકમ લીધી હતી.