સમગ્ર દેશમાં આજે જનતા કર્ફ્યૂના દિવસે 15 મિનિટ પહેલાં ફરી પીએમ મોદીએ દેશવાસીઓને ખાસ અપીલ કરી છે કે PM મોદીએ કહ્યું કે જનતા કર્ફ્યૂ થરૂ થઈ રહ્યો છે. હું વિનંતી કરું છું કે તમામ નાગરિકો આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ બને અને કોરોના સામેની લડતને સફળ બનાવે. આપણો સ્વાસ્થ્ય અને સંકલ્પ આ રોગચાળાને હરાવી દેશે.સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી લોકોને ઘરની બહાર ન નિકળવા માટે અપીલ કરાઇ છે. ત્યારે જનતા કર્ફ્યૂના ભાગરૂપે મોલ્સ, શોપિંગ સેન્ટર્સ, દુકાનો બંધ રહેશે.
जनता कर्फ्यू शुरू हो रहा है...
मेरी विनती है कि सभी नागरिक इस देशव्यापी अभियान का हिस्सा बनें और कोरोना के खिलाफ लड़ाई को सफल बनाएं।
દુનિયાના કેટલાક દેશોમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસને ભારતમાં ફેલાવતો રોકવા માટે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં રવિવારના દિવસે જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું હતું. હવે જનતા કર્ફ્યૂનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. દેશના કેટલાક રાજ્યોમાં આની અસર પણ જોવા મળી છે. કેટલાક રાજ્યોએ આને લઇને મહત્વના પગલા ભર્યા છે અને એડવાઈઝરી જાહેર કરી છે.
ગુજરાતના ચાર મહાનગરો લોકડાઉન
કોરોના વાયરસના પગલે ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 25 માર્ચ સુધી જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. કોરના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે. વીમા કંપનીઓ, બેંક, ATM અને પેટ્રોલપંપ ચાલુ રહેશે. મનપા, પંચાયતની સેવા, વિજ સેવાઓ ચાલુ રહેશે. મીડિયા, સમાચાર પત્રો, ખાદ્ય પદાર્થો, દવા જેવી વસ્તુઓ ઉત્પાદન ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.
રાજસ્થાન સંપૂર્ણ લોકડાઉન
કોરોના વાયરસને લઇ રવિવારથી 31 માર્ચ સુધી રાજસ્થાન સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યું છે. જોકે, આ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમકે શાકભાજી અને દૂધની દુકાનોની સાથો સાથ મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. આ સિવાય કોઈ દુકાન નહીં ખુલે. આ પહેલા કેટલાક રાજ્યોના કેટલાક શહેરોમાં લૉકડાઉન કર્યું છે પરંતુ રાજસ્થાન આને સમગ્ર રાજ્યમાં લાગૂ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે. મહત્વનું છે કે ઉત્તરાખંડમાં જનતા કર્ફ્યૂ દરમિયાન સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી બસો નહીં ચાલે. ઇમરજન્સી માટે 2 બસ રાખવામાં આવશે. ઓડિસ્સાના પાંચ જિલ્લાઓમાં લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. બંગાળમાં તમામ રેસ્ટોરન્ટ, બાર, પબ અને હુક્કાબાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
એક્સપ્રેસ ટ્રેનો, ઇન્ટરસિટી ટ્રેન અને મેટ્રો સેવાઓ પણ બંધ
જો કે મેડિકલ સ્ટોર્સ અને જરૂરી સામાન વેચાણ કરનાર દુકાનો ખુલ્લી રહેશે. તો કર્ફ્યૂના કારણે રેલ સેવાઓને અસર થશે. ભારતી રેલવેએ કહ્યું છે કે શનિવારે રાતથી રવિવાર રાત 10 વાગ્યા સુધી કોઇ પેસેન્જર ટ્રેન નહીં ચાલે. તો રવિવાર સવારે 4 વાગ્યાથી મેલ એક્સપ્રેસ ટ્રેનો પણ બંધ કરી દેવાશે. તમામ ઇન્ટરસિટી ટ્રેન પણ રદ કરવામાં આવી છે. ઉપરાંત 700થી વધુ ટ્રેનો પહેલાથી જ રદ કરી દેવાઇ છે. કેટલાક શહેરોમાં મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે. દિલ્હી, બેંગાલુરુ, હૈદરાબાદ, ચેન્નઇ, મુંબઇ, નોઇડા અને લખનઉમાં આ સેવા બંધ રખાશે.
ફ્લાઇટ રદ, બસ સેવા પર પણ રોક
કેટલીય એરલાઇન કંપનીઓએ ઉડાન પર કાપ મુક્યો છે. ગો એર, ઇન્ડિગો, એર વિસ્તરાની ઉડાનની સંખ્યા રવિવાર માટે ઘટાડો કરાયો છે. તો અનેક રાજ્યોની બસ સેવા પર પણ રોક લગાવવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડૂ, ગુજરાત, હરિયાણા, ઓડિશા, દિલ્હી જેવા રાજ્યોએ સરકારી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ઇમરજન્સી કેબ સર્વિસેસ ઉપલબ્ધ રહેશે
કેબ સર્વિસેજ જેમાં ઉબેર અને ઓલા પણ પ્રયત્ન કરી રહ્યાં છે કે રવિવારે ડ્રાઇવર્સ રોડ પર ન રહે. જો કે ઇમરજન્સી માટે કેબ સર્વિસેસ ઉપલબ્ધ રહેશે. તો બીજી તરફ 95 હજારથી વધુ ઓટો રિક્ષા ડ્રાઇવરોએ જનતા કર્ફ્યૂનું સમર્થન કર્યું છે. દિલ્હી ઓટો રીક્ષા સંઘે પણ રવિવારે સેવા ન આપવાનો નિર્ણય કર્યો છે.
પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ, હોટલો બંધ રાખવાના આદેશ
તો પેટ્રોલપંપોને લઇ અલગ અલગ રાજ્યોમાં અલગ આદેશ કરાયા છે. ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સને બંધનું એલાન કર્યું છે. ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, કેરળ, કર્ણાટકમાં પેટ્રોલ પંપ બંધ રહેશ. તો અનેક રાજ્યોમાં રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે. કેટલાક રાજ્યોમાં હોટલોને બંધ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.