જામનગરના જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી ઘર આંગણે જ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી અનુરોધ કર્યો હતો.
જામનગરના જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન
પોસ્ટલ બેલેટથી ઘર આંગણે જ મતાધિકારનો કર્યો ઉપયોગ
મતદાર કરી જામસાહેબે દરેક નાગરિકને મતદાન કરવા કરી અપીલ
જામનગરમાં જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી તમામ લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી ઘર આંગણે જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જામ સાહેબ શત્રુશૈલ્યજીસિંહજીએ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસસ્થાનેથી વિધાનસભા 2022 ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ અવસરે તેઑએ કહ્યું હતું કે આપણા દેશને લોકશાહી મળતાની સાથે જ દેશના નાગરીકોને મતદાન કરવાનો હક મળ્યો છે. જેનો તમામ લોકોએ ખાસ ઉપયોગ કરવો જોઈએ.
પ્રાંત અધિકારી સહીતના રહ્યા હાજર
વધુમાં જામ સાહેબ શત્રુશૈલ્યજીસિંહજીએ જણાવ્યું હતું કે આંખ બંધ કરી સગા-સંબંધી કે નાત-જાત જોઈને મતદાન કરવાને બદલે પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને જ મત આપવો જોઈએ. મહત્વનું છે કે, ચૂંટણી અધિકારી-78 તથા પ્રાંત અધિકારી ડી.ડી. શાહ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફત જામ સાહેબએ મતદાન કર્યું હતું.
જિલ્લા ચુંટણી તંત્ર ઊભી કરાઇ સુવિધા
ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર, દિવ્યાંગો તથા કોવિડગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.