જમ્મૂ કાશ્મીરના શોપિયામાં એક સરકારી સ્કૂલમાં આંતકીઓએ આગ લગાવી દીધી છે. આ સ્કૂલમાં શનિવારે બોર્ડની પરીક્ષા યોજાવાની હતી. આંતકીઓની આ કાયરતાપૂર્ણ હરકતથી સ્પષ્ટ છે કે કાશ્મીરમાં ધીરે-ધીરે શાંત બની રહેલી સ્થિતિથી તે છંછેડાયા છે. 31 ઓક્ટોબરથી કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે. અને ધીરે-ધીરે લોકોનું જીવન પાછુ પાટા પર આવી રહ્યું છે.
સરકારી સ્કૂલમાં આંતકવાદીઓએ લગાવી આગ
સ્કૂલમાં શનિવારે થવાની હતી બોર્ડની પરીક્ષા
કુલગામમાં મંગળવારે આતંકીઓએ 5 મજુરોની હત્યા કરી હતી
પ.બંગાળના 5 મજુરોની હત્યા કરી
નોંધનીય છે કે જમ્મૂ કાશ્મીરના કુલગામમાં મંગળવારે (5 ઓક્ટોબર) એ આતંકીઓએ 5 મજુરોની હત્યા કરી નાંખી હતી. તમામ 5 મજુરો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રહેવાસી હતા. માર્યા ગયેલા મજુરોના નામ કમાલુદ્દીન, મુરસાલિમ, રોફિક, નોમુદ્દીન અને રફીકુલ છે. મંગળવારે થયેલ હુમલામાં એક મજુર ગંભીર રૂપે ઘાયલ થઇ ગયો. ઘાયલ વ્યક્તિનું નામ જોહિરુદ્દીન છે. ઘાયલ મજુરનો હોસ્પિટલમાં ઇલાજ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ મુજબ, આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના કુત્રુસા ગામમાં મજુરો પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં પાંચ મજુરોના મોત ઘટનાસ્થળે જ થઇ ગયા. આ તમામ મજુરો એક મહીના પહેલા જ કામ કરવા માટે કાશ્મીર ગયા હતા.