જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે પુલવામા જેવા આતંકી હુમલાના કાવતરાને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. અહીં પુલવામા નજીક સેન્ટ્રો વાહનમાં આઈઇડી (ઇમ્પ્રુઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. જે સમયસર તેની ઓળખ થઈ ગઈ. બોમ્બ ડિસ્પોઝલ સ્વોર્ડે બોમ્બને સમયસર ડિફ્યુઝ કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં ટળ્યો મોટા આતંકવાદી હુમલો
પુલવામાની જેમ વાહનમાં રાખવામાં આવી હતી IED
સુરક્ષા દળોએ એ સમય રહેતા નિષ્ફળ બનાવ્યો પ્લાન
પુલવામા પોલીસ, સીઆરપીએફ અને આર્મીએ સાથે મળીને કાર્યવાહી કરતાં આ વાહનની ઓળખ કરી હતી અને તેમાં આઈઈડી હોવાનું માલુમ જણાયુ હતુ. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્વોર્ડને બોલાવવામાં આવી અને આ આઈઈડી બ્લાસ્ટને ટાળવામાં સફળ કહ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીએ ચલાવી રહ્યો હતો. જે શરૂઆતના ગોળીબાર પછી જ ભાગી ગયો હતો. આતંકી અંધારામાં ભાગી ગયો હતો. આ કેસ હવે એનઆઈએને સોંપવામાં આવી રહ્યો છે. પુલવામાના રાજપુરા રોડ નજીક શાદીપુરા પાસે વાહન ઝડપાયું હતું.
સફેદ સેન્ટ્રો કારમાં ટુ વ્હીલર નંબર પ્લેટ હતી. જે કઠુઆમાં નોંધાયેલ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેને ટ્રેક કર્યા ત્યારબાદ બોમ્બની શોધ ખોળ કરવામાં આવી. બોમ્બ ડિસ્પોઝલ યુનિટને બોલાવતા પહેલા આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ પહેલા ગયા વર્ષે પુલવામામાં આતંકવાદી હુમલો પણ કરવામાં આવ્યો હતો. જેમાં એક વાહનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો અને તે સીઆરપીએફના કાફલામાં ઘૂસી ગયો હતો. ફેબ્રુઆરી 2019 માં થયેલા આતંકી હુમલામાં લગભગ 45 સૈનિકો માર્યા ગયા હતા.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આતંકીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવાના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણી વખત મોટા આતંકવાદી હુમલાના પ્લાન પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ દરેક વખતે ભારતીય સૈનિકો આ યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
આ સિવાય જમ્મુ-કાશ્મીરના જુદા જુદા ભાગોમાં જ્યાં આતંકીઓ છુપાયેલા છે ત્યાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ જ કારણ છે કે આતંકવાદીઓ પોતાની જમીન હાથમાંથી છુટતી જોવા મળી રહી છે.
પાછલા દિવસોમાં ભારતીય સેના અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે કુલગામમાં ઓપરેશન હાથ ધર્યુ હતુ. કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. તે જ મહિનામાં ભારતીય સુરક્ષા દળોએ હિઝબુલના ટોચના કમાન્ડર રિયાઝ નાયકુને મોતને ઘાટ ઉતાર્યો હતો.