જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં એકવાર ફરી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. એનકાઉન્ટરમાં સીઆરપીએફના 3 જવાન શહીદ થઇ ગયા છે. સુરક્ષા દળોએ આ દરમિયાન એક આંતકીને ઠાર માર્યો છે. આ પહેલા રવિવારે પણ હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમા કર્નલ, મેજર અને 3 જવાન શહીદ થઇ ગયા હતા.
જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં એકવાર ફરી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું
રવિવારે પણ હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ થયું હતું
જ્યારે સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ દરમિયાન કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ CISF કેમ્પ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો છે. તેમા એક જવાન ઘાયલ થયો છે. સુરક્ષા દળો વિસ્તારની સીઝ કરી દેવાયો છે. દેશ એક તરફ જ્યાં કોરોના વાયરસની વિરુદ્ધ જંગ લડી રહ્યો છે જ્યારે કાશ્મીરમાં સુરક્ષા દળ આતંકવાદીઓના ષડયંત્રોને નિષ્ફળ બનાવવામાં લાગ્યા છે.
24 કલાકની અંદર હંદવાડામાં આ બીજી વાર ઘર્ષણની ઘટના બની છે. રવિવારે થયેલા ઘર્ષણમાં સુરક્ષા દળને આંતકવાદીઓના ઇનપુટ 6 દિવસ પહેલા 28 એપ્રિલે સૌથી પહેલા મળ્યા હતા. ત્યારથી જ સેનાના જવાન તેમની પાછળ પડ્યા હતા. આ ઓપરેશનમાં 21-રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા શહીદ થયા હતા. કર્નલ આશુતોષ ઘણા સફળ ઓપરેશનમાં સામેલ રહ્યા હતા.
જમ્મૂ કાશ્મીરમાં 5 વર્ષ બાદ કર્નલ શહીદ થયા
જમ્મૂ કાશ્મીરમાં લગભગ 5 વર્ષ બાદ આતંકવાદીઓ સાથેના ઘર્ષણમાં કમાન્ડિંગ ઓફિસર શહીદ થયા છે. આ પહેલા 2015ની જાન્યુઆરીમાં કર્નલ એમએન રાય શહીદ થયા હતા. જોકે ગત વર્ષે સપ્ટેમ્બર મહીનામાં કમાન્ડિંગ ઓફિસર સંતોષ મહાદિક પણ શહીદ થઇ ગયા હતા.