કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારત સહિત સમગ્ર દુનિયા જોડાયેલી છે અને દરેક આના ખાતમાના પ્રયત્નમાં જોડાયેલા છે, પરંતુ આ કઠિન પરિસ્થિતિમાં પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો નથી છોડી રહ્યું. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે દાવો કર્યો છે કે પાકિસ્તાન આતંકવાદીઓ દ્વારા ઘાટીમાં કોરોના વાયરસ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
શોપિંયા જિલ્લામાં થયેલ અથડામણમાં આજે સવારે 4 આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે સમાચાર એજન્સી એએનઆઇએ કહ્યું કે પાકિસ્તાન પહેલા આતંકવાદીઓને ઘાટીમાં મોકલવાના પ્રયત્નો કરતું હતું, પરંતુ અમને આઆ પ્રકારની માહિતી મળી છે કે પાકિસ્તાન કોરોના પોઝિટિવ દર્દીઓને કાશ્મીર મોકલવાની ફિરાકમાં છે જેનાથી અહીંના લોકોમાં કોરોના વાયરસ ફેલાવી શકાય. તેમણે કહ્યું કે, આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનમાં ઝડપથી ફેલાય રહ્યો છે કોરોના
પાકિસ્તાનમાં ભલે કાશ્મીરમાં કોરોના એટેકની તૈયારીમાં જોડાયું હોય, પરંતુ તેનાથી અહીં પણ સ્થિતિ ખરાબ છે અને આજે બુધવારે ત્યાં કોરોનાની સંખ્યા 10 હજારના આંકડાને પાર કરી ગઇ.
પાકિસ્તાનની અંગ્રેજી વેબસાઇટ ધ ડૉનના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી દેશમાં 10,072 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 212 લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતે આ પ્રકારે પાકિસ્તાનમાં પણ બીમાર લોકોને સાજા થવાનો દર સારો છે.
પાકિસ્તાનમાં 10,072 સંક્રમિત લોકોમાંથી 2,156 લોકો સાજા થઇ ચૂક્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોરોનાના 320 નવા કેસ આવવાથી આ સંખ્યા 10 હજારના આંકડાને પાર કરી ગઇ છે.
કોરોનાના મામલે પાકિસ્તાનમાં સૌથી ખરાબ સ્થિતિ પંજાબની છે જ્યાં 4,328 લોકો કોરોનાથી પીડિત છે. ત્યાર બાદ સિંધ (3,373) અને ખૈબર પખ્તુનખ્વા (1345)નો નંબર આવે છે. રાજધાની ઇસ્લામાબાદમાં કોરોનાના 194 કેસ સામે આવી ચૂક્યા છે.
પહેલાથી જ ગોઠણીયાભેર થઇ ચૂકેલા પાકિસ્તાનમાં કોરોનાના કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે. લૉકડાઉનના કારણે લોકો રાશન સુધી નથી મળી રહ્યું. ત્યાં ભુખના કારણે મોત થઇ રહ્યા છે.
મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં મંગળવારે સાંજે એક વખત ફરી સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા હતા.