જમ્મુ-પુંછ હાઈવે પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આતંકીઓનના ખાતમાને લઈને ઓપરેશન જારી કરવામાં આવ્યું.
આતંકીઓ અને સેનાનાની વચ્ચે અથડામણ ગરુવાર રાત સુધી જારી રહી
અત્યાર સુધીના એન્કાઉન્ટરમાં 2 જવાનો શહીદ થઈ ચૂક્યા
સોમવારે થયેલી 17 વર્ષની સૌથી લોહિયાણ અથડામણ હતી
આતંકીઓ અને સેનાના જવાનોની વચ્ચે અથડામણ ગરુવારે રાત સુધી જારી રહી
જમ્મુના બોર્ડર જિલ્લા પુંછના મંઢર વિસ્તારમાં આતંકીઓની સાથે અથડામણમાં એક જૂનિયર કમિશન્ડ ઓફિસર (JCO) અને એક જવાન શહીદ થઈ ગયા છે. આતંકીઓ અને સેનાના જવાનોની વચ્ચે અથડામણ ગરુવાર રાત સુધીમાં જારી રહી. હાલમાં બન્ને તરફથી ગોળીબારી રોકાઈ ગઈ છે અને જમ્મુ-પુંછ હાઈવે પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીના એન્કાઉન્ટરમાં 2 જવાનો શહીદ થઈ ચૂક્યા છે. જ્યારે એક ઘાયલ થયા છે. પુંછમાં 5 દિવસથી ચાલી રહેલી અથડામણમાં 7 જવાન શહીદ થઈ ચૂક્યા છે. જેમાં 2 જેસીઓ સામેલ છે.
ઘાયલોમાં વધુ એક જવાને શ્વાસ છોડ્યા
જાણકારી મુજબ ગુરુવારે સાંજે 1 જવાન શહીદ થયા હતા. જ્યારે 2 જવાન ઘાયલ થયા હતા. ઘાયલોમાં વધુ એક જવાને શ્વાસ છોડ્યા છે. આ રીતે કુલ 2 જવાનો શહીદ થયા છે. એક જવાન ઘાયલ છે.
સોમવારે થયેલી 17 વર્ષની સૌથી લોહિયાણ અથડામણ હતી
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકી તે ગ્રુપમાંથી હોઈ શકે છે જેની સાથે સોમવારે થયેલી અથડામણમાં સેનાના 5 જવાનો શહીદ થયા હતા. ગુરુવારે શહીદ થયેલા જવાનોની ઓળખ કરવાનું હજું બાકી છે. ત્યારે સોમવારે થયેલી 17 વર્ષની સૌથી લોહિયાણ અથડામણ હતી.
અહીં પણ વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી
અથડામણના ધ્યાનમાં રાખી ભીમબર ગલી અને સૂરનકોટેના સાથે રાજૌરી- પુંછ રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી છે. સ્થળ પર હજું વધારે સુરક્ષા દળ મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જાણકારી આપી હતી કે આતંકીઓની સંખ્યા ચાર-પાંચ થઈ શકે છે. આ એજ ગ્રુપનો ભાગ હોઈ શકે છે. જેને ઓગસ્ટમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી.
6 ઓગસ્ટે 2 આતંકી માર્યા ગયા હતા
જાણકારી મુજબ શોપિયાએ રસ્તામાં પોલીસ અને સુરક્ષા દળોએ તેમને રોકી લીધા હતા. 6 ઓગસ્ટે 2 આતંકી માર્યા ગયા હતા. જ્યારે જવાનોએ 19 ઓગસ્ટે એક અન્ય આતંકીઓને ઢેર કરી દીધા હતા.