જામિયા મિલિયા ઇસ્લામિયા (Jamia Millia Islamia)ના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્ર પર દિલ્હી પોલીસની વિરુદ્ધ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓ પોલીસની વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઇને પ્રદર્શન કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓની નારાજગી બાદ જામિયાની કુલપતિ નજમા અખ્તર સોમવારે તેમને મળવા પહોંચી
વિદ્યાર્થીઓનો પોલીસની વિરુદ્ધ કેસ નોંધવામાં ના આવે ત્યાં સુધી પરીક્ષાનો બહિષ્કાર કર્યો
જામિયાના વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસની વિરુદ્ધ FIR નોંધાવવાની માંગ પર અડગ
વિદ્યાર્થીઓએ પોલીસની વિરુદ્ધ કેસ નોંધવામાં ના આવે ત્યાં સુધી પરીક્ષામાં નહીં બેસવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની નારાજગી બાદ જામિયાની કુલપતિ નજમા અખ્તર (Najma Akhtar) આજે સોમવારે તેમને મળવા પહોંચી. તેઓએ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનો વિશ્વાસ અપાવ્યો.
જામિયાના વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસની વિરુદ્ધ ફરિયાદ (FIR) નોંધાવવાની માંગ પર અડગ છે. જામિયાના કુલપતિ નજમા અક્તરે વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપતા કહ્યું, 'અમે સરકારને પોતાની આપત્તિઓ મોકલી છે. હવે અમે કોર્ટમાં પણ જઇશું. એક પત્રકારે મારો અધુરો-અડધો ઇન્ટરવ્યૂ બતાવ્યો, હું કહું છું કે મારો પૂર્ણ ઇન્ટરવ્યૂ બતાવો. મારે જે બોલવાનું છે તે હું બોલીશ. દિલ્હી પોલીસ આપણા કેમ્પસમાં અમને પૂછ્યા વિના આવી હતી. તેઓેએ અમારા નિર્દોષ બાળકોને માર માર્યો. અમે ન્યાયની દિશામાં સંભવ તમામ કોશિશ કરી રહ્યા છીએ.
દિલ્હી પોલીસ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવાના સવાલ પર VCએ કહ્યું, આપ મને તારીખ ન પૂછો. મેં આપને કહી દીધું તો એ થઇને રહેશે. અમે કોશિશ કરી શકીએ છીએ અને કોશિશ કરી રહ્યા છીએ. આપ લોકો થોડો ટાઇમ આપો. આપ પરીક્ષાઓને એફઆઇઆર સાથે જોડી ન શકો. અમે કોર્ટ જઇશું અને કોર્ટની તારીખ અમે નક્કી ન કરી શકીએ. આપની માંગ પર યુનિવર્સિટીને ખોલવામાં આવી.
નોંધનીય છે કે, વિદ્યાર્થીઓએ વાતચીત દરમિયાન ચીફ પ્રૉક્ટર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવતા કહ્યું કે ચીફ પ્રૉક્ટરે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને માટે કહ્યું કે, એકવાર ફરી તેમને માર મારવામાં આવે. જોકે, ચીફ પ્રૉક્ટરે વિદ્યાર્થીઓના આરોપોને ફગાવ્યા છે.