બિહારના CM નીતિશ કુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી સહિતના નેતાઓ પણ ભાગ લીધો
આ દરમિયાન ઘણા સ્થાનોએ વાહનવ્યવહારને રોકી દેવામાં આવ્યો
આ માનવ સાંકળની શરૂઆત ઐતિહાસિક ગાંધી મેદાનમાં થઇ, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, જળ પુરુષ રાજેન્દ્ર સિંહ સહિત ઘણા મંત્રી અને અધિકારીઓએ તેમા ભાગ લીધો.
ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે આકાશમાં ફુગ્ગાઓ છોડીને માનવ સાંકળની શરૂઆત કરાવી. ગાંધી મેદાનથી ચાર શ્રેણીઓમાં નીકળેલી આ માનવ સાંકળ રાષ્ટ્રીય રાજમાર્ગ, રાજ્ય રાજમાર્ગ, જિલ્લા, તાલુકા, પંચાયત, ગામના વિભિન્ન રસ્તાઓ થઇને પસાર થયો.
રાજ્ય સરકારનો દાવો છે કે, તેમા 4 કરોડથી વધારે લોકો હાજર રહ્યા અને પર્યાવરણ સંતુલનને લઇને પોત-પોતાના ભાવ પ્રકટ કર્યા.
સવારે 11.30 વાગ્યે આ માનવ સાંકળનો પ્રારંભ થયો હતો અને તેનુ સમાપન બપોરે 12.00 વાગ્યે થયું. આ દરમિયાન ઘણા સ્થાનોએ વાહનવ્યવહારને રોકી દેવામાં આવ્યો. સરકારનો દાવો છે કે આ અનોખી માનવ સાંકળની તસવીર અને વીડિયોગ્રાફી માટે ડ્રોન અને હેલિકોપ્ટર લગાવવામાં આવ્યા હતા.