સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રને સંબોધિત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રનું સંબોધન
એસ જયશંકરે ચીન અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા
આતંકવાદને લઈને ભારતની ઝીરો ટોલરન્સની નીતિ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રને સંબોધિત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. એસ જયશંકરે કહ્યું કે કેટલાક દેશો આતંકવાદીઓને બચાવવા માટે પાખંડ અને દંભનો આશરો લઈ રહ્યા છે. "કોઈ પણ રેટરિક ક્યારેય લોહીના ડાઘને કવર કરી શકતી નથી. જયશંકરે કહ્યું કે, આતંકવાદ પ્રત્યે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ છે. રશિયા અને યુક્રેનમાં ભારત કોની સાથે ઉભું છે? આ સવાલનો જવાબ પણ જયશંકરે આપ્યો હતો અને જયશંકરે કહ્યું હતું કે ભારત સત્યની સાથે ઉભું છે.
UN પ્લેટફોર્મ પરથી ચીન-પાકિસ્તાનની ઝાટકણી કાઢી!
વિદેશ મંત્રીએ ચીનનું નામ લીધા વગર કહ્યું કે, "ભારત દાયકાઓથી સરહદ પારના આતંકવાદથી પીડિત છે. આતંકવાદ પર ભારતની નજર ઝીરો ટોલરન્સ છે. ભલે ઉદ્દેશ્યને કઈ પણ ન હોય, કોઈ પણ આતંકવાદી ઘટનાને સાચી ઠેરવી શકાતી નથી. તમે ગમે તેટલા અલંકૃત ભાષણ આપો, અથવા ગમે તેટલા દંભી હોય, પણ લોહીના ડાઘ છુપાવી શકાતા નથી. જે લોકો આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવાના સંયુક્ત રાષ્ટ્રના નિયમનું રાજકારણ કરે છે, તેઓ કેટલીકવાર પ્રતિબંધોની વિરુદ્ધ બોલે છે અને જાહેર કરાયેલા આતંકવાદીઓને બચાવવાનો પ્રયાસ પણ કરે છે. તેઓ તે તેમના પોતાના અર્થ માટે કરે છે. '
#WATCH | This New India under leadership of PM Modi is confident. Its agenda for our centenary will be achieved through pledges taken... we are resolved to make India a developed country in next 25 years... we will liberate ourselves from a colonial mindset: EAM at #UNGApic.twitter.com/91PBVb3BbH
રશિયા-યુક્રેન યુદ્ધન પર જવાબ આપ્યો
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે અમને વારંવાર પૂછવામાં આવે છે કે તમે કોના પક્ષમાં છો? દરેક વખતે અમારો જવાબ સીધો અને પ્રામાણિક રહ્યો છે. ભારત શાંતિની પાછળ છે અને મજબૂતીથી ઉભા રહેશે. અમે યુએનના નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરનારાઓના પક્ષમાં છીએ, અમે સંવાદ અને કૂટનીતિના હિમાયતીના પક્ષમાં છીએ. અમે એવા લોકોની પડખે છીએ જેઓ દિવસમાં બે વખતનું ભોજન પણ મેળવી શકતા નથી. ખાદ્ય પદાર્થો, ઇંધણ અને ખાતરના વધતા જતા ભાવને કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકો સાથે પણ અમે છીએ. તેથી, યુએનની અંદર અને બહાર શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવું એ આપણા બધાના હિતમાં છે. '
આવનાર G-20 અધ્યક્ષતા કરશે ભારત
જયશંકરે કહ્યું કે ભારત મોટી જવાબદારી નિભાવવા તૈયાર છે. ભારત G20ની અધ્યક્ષતામાં, આતંકવાદ સામે લડનાર સમિતિની અધ્યક્ષતા કરશે. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને મુંબઈ અને નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી સમિતિમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.