ઇસ્લામાબાદઃ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખીયા અને પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરનું મોત થઇ ગયું છે. જોકે પાકિસ્તાને હજુ આની પુષ્ટિ નથી કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે જૈશ એ મોહમ્મદના આતંકવાદી હુમલાખોરે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર વિસ્ફોટક ભરેલી કાર બ્લાસ્ટ કરી હતી. જેના કારણે સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા. મહત્વનું છે કે, પાકિસ્તાન મીડિયાએ મસૂદ અઝહરના મોતની વાત નકારી છે.
રિપોર્ટ્સના અનુસાર, એર સ્ટ્રાઇકનો સમય મસૂદ અઝહર કેમ્પમાં સૂતો રહ્યો હતો. રાવલપિંડીની હોસ્પિટલમાં બે માર્ચે મોત થયું હતું. આ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે જેની પુષ્ટિ વીટીવી નથી કરતું.
પાકિસ્તાને મસૂદ અઝહરના માર્યા જવાની અફવા ફેલાવી
ત્યારે, રક્ષા વિશેષજ્ઞ મસૂદ અઝહરના માર્યા જવાના સમાચારને પાકિસ્તાનની ચાલ માની રહ્યા છે. તમને જણાવી દઇએ કે પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત સહિત દુનિયાના દેશો જૈશ એ મોહમ્મદ અને તેમના વડા પર કાર્યવાહી કરવાનો પાકિસ્તાન પર દબાણ છે. માનવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે પાકિસ્તાને મસૂદ અઝહરના માર્યા જવાની અફવા ફેલાવી છે.
કિડનીથી જોડાયેલ બીમારીની સારવાર ચાલી રહી હતી
સોશિયલ મીડિયા પર ખુંખાર આતંકવાદી મસૂદ અઝહરના મોતના સમાચાર ઝડપથી ફેલાઇ રહ્યા છે. જેમાં ગુપ્તચર સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ પહેલા મસૂદ અઝહરના હોસ્પિટલમાં ભરતી થવાના સમાચાર આવ્યા હતા, જ્યાં તેમની કિડનીથી જોડાયેલ બીમારીની સારવાર ચાલી રહી છે.
મસૂદ અઝહરનું એર સ્ટ્રાઇકમાં ઇજાગ્રસ્ત થયો હતો
બીજી બાજુ પાકિસ્તાન વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે જૈશ એ મોહમ્મદના પુલવામા આતંકવાદી હુમલાની જવાબદારી નથી લીધી. ત્યારે રિટાયર્ડ કર્નલ આશીષ ખન્નાએ કહ્યું કે એવું બની શકે કે મસૂદ અઝહરનું એર સ્ટ્રાઇકમાં ઇજાગ્રસ્ત થયો અને એ જ કેમ્પમાં રહ્યો હોય જ્યાં સ્ટ્રાઇક થઇ. હવે સારવાર દરમિયાન મોત થયું, પરંતુ પાકિસ્તાન આ વાતને છુપાવવા પણ માગતું હોય.