જયપુરમાં દક્ષિણ આફ્રીકાથી પરત ફરેલા એક પરિવારના 4 સભ્ય કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે. આ પરિવારના સંપર્કમાં આવેલા 5 સગાઓ પણ સંક્રમિત થયા છે.
એક જ પરિવારના 9 લોકો કોવિડ પૉઝિટિવ
જીનોમ સીક્વન્સિંગને મોકલ્યા સેમ્પલ
4 લોકો દ.આફ્રિકાથી પરત ફર્યા હતા
દેશમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનને લઇને વધતી ચિંતાઓ વચ્ચે સંક્રમણના નવા કેસથી સ્વાસ્થ્ય વિભાગ અલર્ટ થઇ ગયું છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા ચાર સંક્રમિત લોકોને અહીં RUHS હોસ્પિટલમાં આઇસોલેટમાં રાખવામાં આવ્યા છે અને જીનોમ સિક્વન્સિંગ તપાસ માટે તેમના નમૂના લેવામાં આવ્યા છે.
જયપુરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. નરોત્તમ શર્માએ કહ્યું કે, સગાઓમાં એક પરિવારના કુલ 14 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 9ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંપર્કોની તપાસ કરતા જાણ થઇ કે તેમાંથી કેટલાક લોકો હાલમાં જ દક્ષિણ આફ્રીકાથી પરત ફર્યા હતા.
તેમણે કહ્યું કે, ગાઈડલાઈન અનુસાર દક્ષિણ આફ્રીકાથી પરત ફરેલા લોકોને આરયૂએચએસ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છે અને વાયરસના નવા વેરિયન્ટની પુષ્ટિ માટે જીનોમ સિક્વન્સિંગ માટે નમૂના માટે છે અને અન્ય 5 લોકોને તેમના ઘરમાં જ આઇસોલેટ કરાયા છે.