કોંગ્રેસે પણ લાંબા સમય બાદ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરને ગુજરાત પ્રદેશ કોગ્રેસની કમાન હાથમાં સોંપી છે ત્યારે આજે જગદીશ ઠાકોરનો શપથગ્રહણ સમારોહ યોજાનાર છે જેમાં મોટા નેતાઓ ઉપસ્થિત રહે તેવું મનાઈ રહ્યું છે.
જગદીશ ઠાકોર કોંગ્રેસ પ્રમુખ પદના લેશે શપથ
શપથવિધિમાં કોંગ્રેસના નેતા રહેશે ઉપસ્થિત
2022 ચૂંટણી પહેલા કોંગ્રેસનું શક્તિપ્રદર્શન
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવનાર છે ત્યારે દરેક પક્ષોએ વિધાનસભાની ચૂંટણીઓ પહેલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.કોંગ્રેસે પણ લાંબા સમય બાદ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરને ગુજરાત પ્રદેશ કોગ્રેસની કમાન હાથમાં સોંપી છે ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ ચૂંટણી પહેલ શક્તિ પ્રદર્શન યોજી શકે છે, આજે જગદીશ ઠાકોરનો શપથગ્રહણ સમારોહ યોજાનાર છે જેમાં અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહે તેવું મનાઈ રહ્યું છે.
શપથવિધિમાં કોંગ્રેસના નેતા રહેશે ઉપસ્થિત
ગુજરાત કોંગ્રેસના જગદીશ ઠાકોર 33માં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા છે, ત્યારે આજે જગદીશ ઠાકોર વિધિવત રીતે ચાર્જ સંભાળશે, જગદીશ ઠાકોરનો આજે શપથવિધિ સમારંભ યોજાનાર છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, કોંગ્રેસ કાર્યકરો અને ધારાસભ્યો સહિત હોદ્દેદારો હાજર રહેશે. મોટા નેતાઓ એકમંચ પર એકઠા થશે. મનાઈ રહ્યું છે કે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ હાજર રહેશે, તેમજ સુખરામ રાઠવા, શક્તિસિંહ ગોહિલ, મધુસુદન મિસ્ત્રી, દીપક બાબરિયા પણ રહેશે ઉપસ્થિત અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પણ હાજર રહેશે, એવું પણ મનાઈ રહ્યું છે કે 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે જેમાં કોંગ્રેસની ખરાબ થયેલી છબીને સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
2022 ચૂંટણી પહેલા કોંગ્રેસનું શક્તિપ્રદર્શન
જગદીશ ઠાકોરે કહ્યું કે, 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે. અમે આગામી ચૂંટણીઓને લઇ પ્લાનિંગ કર્યુ છે.બુથ લેવલનું પણ પ્લાનિંગ કરી રહ્યાં છીએ. મે ગુજરાતમાં 149 સીટો જીતનારી કોંગ્રેસને પણ જોઇ છે. બેરોજગારી, મહિલા અત્યાચાર, ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપનો ભુક્કો બોલાવીશું. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, આગામી 10-15 દિવસમાં લોકોને કોંગ્રેસનું કામ દેખાશે. કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી. રાહુલ ગાંધી સાથે મારી મુલાકાત અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું જ્યારે જરૂર પડે ત્યારે ગુજરાત માટે હાજર છું. આગામી 1 મહિનામાં ખબર પડશે કે કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે. મહત્વનું છે કે જગદીશ ઠાકોર જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ મામલે કહ્યું કે, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ અમારો મુખ્ય ચેહરો છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડાવવા જગદીશ ઠાકોરે આમંત્રણ આપ્યું છે. અલ્પેશ ઠાકોરમાં માટે કોંગ્રેસમાં લાલ જાજમ તૈયાર છે.
ભગવાનને પ્રાર્થના કર્યા બાદ બોલ્યા જગદીશ ઠાકોર
પદભાર સંભાળતા પહેલા જગદીશ ઠાકોરની VTV NEWS સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર અને નેતૃત્વમાં ઉત્સાહ છે જેલ ભરો આંદોલન કરવા પડશે તો પણ કરીશું, વધુમાં જગદીશ ઠાકોરે કહ્યું કે લોકોમાં જે ભય છે તેને દૂર કરીશું સાથે જગદીશ ઠાકોરે આસુરી શક્તિઓ સામે લડવાની આપે શક્તિ તેવું જણાવ્યું હતું.