રાજ્યસભા અને લોકસભામાં પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર કરેલા પ્રહારો પર હવે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે.
પ્રધાનમંત્રી મોદીના પ્રહારો પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
કહ્યું મેં સંસદમાં ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા
પ્રધાનમંત્રીએ એક પણ જવાબ ન આપ્યો
રાજ્યસભા અને લોકસભામાં કોંગ્રેસ પર પ્રધાનમંત્રી મોદીની ધડાધડ બેટિંગ બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આપી છે. મોદીના ભાષણનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે મેં સંસદમાં મારા ભાષણમાં ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા. પીએમ મોદીએ આ ત્રણેય પર કંઇ કહ્યું નહીં. તેઓએ ત્રણેય મુદ્દાઓ વિશે વાત કરી અને જમણેરી અને ડાબેરી વિશે વાત કરી. આ બતાવે છે કે તેઓ અમે ઉભા કરેલા મુદ્દાઓ વિશે વાત કરવા માંગતા નથી. રાહુલે એવું પણ કહ્યું કે મારે કોઈના સર્ટિફિકેટની જરુર નથી.
#WATCH | He (PM Modi) is putting India at risk because he has got a bankrupt foreign policy. EAM said that China & Pakistan got together earlier, the gentleman doesn't understand his job very well: Congress leader Rahul Gandhi pic.twitter.com/EPuXGqOpoV
દેશમાં બની રહ્યા છે 2 હિન્દુસ્તાન
રાહુલ ગાંધીએ કહ્યું, "મેં ત્રણમાં વાત કહી. એક, કહ્યું કે બે હિન્દુસ્તાન બનાવવામાં આવી રહ્યા છે. શ્રીમંતોનું હિન્દુસ્તાન અને ગરીબોનું હિન્દુસ્તાન. આપણી સંસ્થાઓ દ્વારા એક પછી એક જે કબજે કરવામાં આવી રહ્યું છે. તેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે."
કોવિડ અને ચીન-પાકથી દેશને ખતરો
કોંગ્રેસ નેતાએ કહ્યું, મેં કહ્યું હતું કે કોવિડ -19 નો ખતરો છે. પીએમ મોદીએ આ વાત પર વિશ્વાસ ન કર્યો, કોઈએ વિશ્વાસ ન કર્યો. મેં કહ્યું હતું કે ચીન અને પાકિસ્તાન એક સાથે આવ્યા છે, જે ભારત માટે જોખમી છે. તેને ગંભીરતાથી લેવું જોઈએ. પીએમ મોદીએ ત્રણેયને કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું, "તેઓ કોંગ્રેસથી ડરે છે. તેમનામાં થોડી ગભરામણ છે કારણ કે કોંગ્રેસ સાચું બોલે છે. તેમનો માર્કેટિંગનો બિઝનેસ છે. તેમના મિત્રો હોય છે. એટલે જૂઠ ફેલાય છે. આ સમગ્ર ભાષણ કોંગ્રેસ વિશે હતું કે કોંગ્રેસે શું નથી કર્યું અને જવાહરલાલ નહેરુ વિશે. પણ તમે જે વચનો આપ્યાં છે. તેમના વિશે કશું કહ્યું નહીં. કશુંક તેમનાથી ડરે છે.