ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા બાદ DMKના સમર્થકોએ કનિમોઝીના નિવાસ સ્થાને સુત્રોચ્ચાર અને હોબાળો મચાવ્યો હતો. આ દરોડા કનિમોઝીના તૂતીકોરિન અને કુર્રિચીનગર સ્થિત નિવાસ સ્થાને પાડવામાં આવ્યા છે. પરંતુ દરોડા દરમિયાન કોઈ કેશ કે દસ્તાવેજ મળ્યા નથી.
તમિલનાડુમાં કનિમોઝીના નિવાસ સ્થાને ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા બાદ DMKના સમર્થકોએ કનિમોઝીના નિવાસ સ્થાને સુત્રોચ્ચાર અને હોબાળો મચાવ્યો હતો. આ દરોડા કનિમોઝીના તૂતીકોરિન અને કુર્રિચીનગર સ્થિત નિવાસ સ્થાને પાડવામાં આવ્યા છે. પરંતુ દરોડા દરમિયાન કોઈ કેશ કે દસ્તાવેજ મળ્યા નથી.
દરોડા પાડવા માટે ઈન્કમ ટેક્સ વિભાગના 10 અધિકારીઓ પહોંચ્યા હતા. આ દરોડા બાદ કનિમોઝીના ભાઈ અને પાર્ટીના અધ્યક્ષ એમ.કે.સ્ટાલિને ચૂંટણી પંચને આડે હાથ લેતા કહ્યું કે, પીએમ મોદી ચૂંટણી પંચની મદદથી ડીએમકેની છબી ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ, તેમને કનિમોઝીના નિવાસ સ્થાને પૈસાની હેરફેર અંગે માહિતી મળી હતી.
ત્યાર બાદ ઈનકમ ટેક્સ વિભાગ સાથે ઈલેક્શન કમિશનના અધિકારીઓ પણ હાજર હતા. કનિમોઝીએ આ મામલે કહ્યું કે, ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ એ ઘર પર દરોડા પાડવા માટે મંજૂરી માંગી હતી. અમે એજન્સીઓને પૂર્ણ સહયોગ પણ આપ્યો. પરંતુ તેઓનું કહેવું છે કે, દરોડા દરમિયાન કોઈ કેશ કે દસ્તાવેજ મળી આવ્યા નથી.
ડીએમકે પાર્ટીના પ્રમુખ સ્ટાલિને કહ્યું કે તમિલિસાઇ સુંદરરાજનના ઘર પર કરોડો રૂપિયા રાખવામાં આવ્યાં છે. આ અંગેની ફરિયાદ કરવા છતાં તેમના નિવાસ સ્થાને કોઇ તપાસ કેમ કરવામાં આવતી નથી. અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી. સ્ટાલિને કહ્યું કે ભવિષ્યમાં ચૂંટણી આયોગમાં સુધારાની જરૂરિયાત છે.