Omicron variant ની સૌપ્રથમ શોધ કરનાર વૈજ્ઞાનીકે કહ્યું હતું કે ઓમિક્રોનથી બચવું લગભગ અશક્ય છે પરંતુ તેની તીવ્રતા અગાઉથી ઓછી છે.
ભારતમાં ઓમિક્રોનનો વધ્યો ખતરો
કોરોના વાયરસનો નવો ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોન દુનિયા સાથે ભારતમાં પણ ભારે વિનાશ સર્જી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1000 થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્યમંત્રાલયના જણાવ્યા અનુસાર આને કારણે દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થયો છે. જેમાં સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયો છે.
સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાનાં ઓમીક્રોન વેરિયન્ટની ઓળખ વાયરોલોજીસ્ટ વોલ્ફગેંગ પ્રિજરે સૌથી પહેલા કરી હતી.
હવે તેમણે જ એક જાહેરાત કરી હતી કે જેનાથી ચિંતામાં વધાયો થયો છે. તેમણે કહ્યું હતું કે આ નવો વેરિયન્ટ ખૂબ વધારે સંક્રામક છે. આ વેરિયન્ટના ઇન્ફેક્શનથી બચવું લગભગ અશક્ય છે અને અગાઉની સાપેક્ષમાં ભલે તે ઓછો ખતરનાક હોય પણ હજુ પણ કેટલાક દર્દીઓ મરી રહ્યા છે જે દર્શાવે છે કે બેદરકારી રાખવી પોસાય એમ નથી.
તેમણે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જલ્દી જ કેસસંખ્યા ઓછી થઈ જશે અને તેવું જ થયું હતું હાલ સાઉથ આફ્રિકામાં કેસ સંખ્યા ઓછી થતી જાય છે.
ઓમીક્રોનથી બચવું મુશ્કેલ
તેમણે કહ્યું હતું કે હજુ સુધી એ સામાન્ય શરદી અને તાવ ધરાવતો વાયરસ સાબિત નથી થયો પણ સારી ખબર એ છે કે થોડા સમયમાં તે એવો જ વાયરસ બનીને રહી જશે. જો કે ખરાબ સમાચાર એ પણ છે કે હવે આ પ્રકારના વેરિયન્ટથી બચવું લગભગ અશક્ય બની જશે.
શરૂઆતના ડેટા પરથી ખબર પડે છે કે તે દુનિયામાં ઓમીક્રોનના કેસ બમણી ઝડપથી વધી રહ્યા છે. વૈજ્ઞાનિકો એ વાતની ચેતવણી આપી રહ્યા છે કે આ વાતની હેલ્થ સિસ્ટમ પર પણ અસર પડી શકે છે.
પ્રોફેસર વોલ્ફગેંગે કહ્યું હતું કે આપણે જોયુ છે કે તે કેટલી ઝડપથી ફેલાય છે અને કેટલી ઝડપથી સંક્રમીતોની સંખ્યા વધી જાય છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે કેટલાક પેશન્ટ્સ એસીમ્ટોમેટિક હોય અને તે રોગને ફેલાવવાનું કામ કરતાં હોય છે. આવનાર થોડાક જ મહિનાઓમાં વધુ વસ્તી તો તેના કારણે જ સંક્રમિત થવાની છે. તેમણે કહ્યું હતું કે જે રીતે કેસ વધી રહ્યા છે તે રીતે હોસ્પિટલોમાં એડમીટ થનાર લોકોની સંખ્યા હજુ પણ ઓછી હોય તેવું લાગે છે.
ભારતમાં ઓમીક્રોનનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના ઘણા કેસ ભારતમાં પણ નોંધાયા છે. હવે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધીને 1,270 થઈ ગયા છે. તો સામે 374 દર્દીઓ સાજા થયા.
23 રાજ્યોમાં પહોંચ્યો ઓમિક્રોન
જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ દેશના 23 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે.
કોરોનાના આ પ્રકારના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ દર્દીઓની સંખ્યા 450 થઈ ગઈ છે. તો દિલ્હી બીજા નંબર પર છે, જ્યાં ઓમિક્રોનના 320 કેસ મળી આવ્યા છે.ઓમિક્રોનના ખતરા વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા 10,000ને પાર કરી ગઈ છે. દેશમાં 16,764 નવા કોરોનાનાં કેસ આવ્યા હતા અને 220 દર્દીઓના મોત થયા હતા.
ઓમિક્રોનના નવા લક્ષણો શું છે
કિંગ્સ કોલેજ લંડનના આનુવંશિક રોગચાળાના પ્રોફેસર ટીમ સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના બે નવા લક્ષણો ઉબકા અને ભૂખ ન લાગવી છે. તેમણે જણાવ્યા અનુસાર આ લક્ષણો એવા લોકોમાં પણ મળી રહ્યાં છે. જેમને કોરોનાની રસી આપવામાં આવી છે. અને એવા લોકોમાં પણ જોવા મળે છે જેમને રસીનો બુસ્ટર ડોઝ લીધો હોય છે. પ્રોફેસર ટીમ સ્પેક્ટરના જણાવ્યા અનુસાર લોકોને ઉબકા, હળવો તાવ, ગળામાં દુખવાો અને મથામાં દુખાવો જેવા લક્ષણો પણ દર્શાવી રહ્યાં છે. યુનાઈટેડ સ્ટેટ્સના ડિસીઝ કંટ્રોલ સેન્ટરના જણાવ્યા અનુસાર ઓમિક્રોન સાથે સંકળાયેલા કેટલાક સામાન્ય લક્ષણો ઉધરસ, થાક, કફઅને નાકમાંથી પણી નીકળવું છે
આરોગ્ય નિષ્ણાંતો સમયાંતરે ઓમિક્રોનના લક્ષણો પર પણ અહેવાલો આપી રહ્યાં છે.
અને જો કોઈને આ લક્ષણો હોય તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવા અને પોતાને આઈસોલેટ કરવા કહેવામાં આવે છે. કોરોના મહામારીની છેલ્લી બંને લહેરોમાં તાવ, ખાંસી જેવા સામાન્યય લક્ષણો હતાં પરંતુ ઓમિક્રોનથી ખરાબ રીતે પ્રભાવિત યુનાઈટેડ કિંગડમના એક સંશોધકે 2 નવા લક્ષણોની ઓળખ કરી છે. આ લક્ષણો સામાન્ય રીતે કોરોના વાયરસ સાથે સંબંધિત નથી.