વડોદરા સોખડા હરિધામમાં જૂથવાદનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં મંદિરના પરિસરમાં સરળ સ્વામીએ પ્રબોધ સ્વામી પર હાથ ઉગામ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.
સોખડા હરિધામમાં જૂથવાદ પરાકાષ્ટાએ પહોચ્યો
પ્રબોધ સ્વામી પર મંદિરમાં હુમલો થયાનો ભક્તોનો આક્ષેપ
સરળ સ્વામીએ હાથ ઉગામ્યાનો આક્ષેપ
પ્રબોધ સ્વામી પર મંદિરમાં હુમલો થયાનો ભક્તોનો આક્ષેપ
વડોદરા સોખડા હરિધામમાં જૂથવાદ વકર્યો છે.પ્રબોધ સ્વામી પર મંદિરમાં હુમલો થયાનો ભક્તોએ આક્ષેપ કર્યો છે. મંદિરમાં સરળ સ્વામીએ પ્રબોધ સ્વામી પર હાથ ઉગામ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રબોધ સ્વામી પર મોડી રાત્રે હુમલો થયાનો આક્ષેપ
સોખડા હરિધામમાં જૂથવાદ પોતાની પરાકાષ્ટાએ પહોંચ્યો છે. મંદિરમાં પ્રબોધ સ્વામી પર મંદિરમાં સરળ સ્વામીએ હાથ ઉગામ્યાનો આક્ષેપો પ્રબોધ સ્વામીના ભક્તો દ્વારા કરવામાં આવ્યા છે. આક્ષેપ અનુસાર આ સમગ્ર ઘટના મોડી રાત્રે 12.30 થી 12.45 વચ્ચે બની હોવાનો આક્ષેપ કરાયો છે.
સરળ સ્વામી અને પ્રેમ સ્વામી માફી માંગે તેવી પ્રબોધ સ્વામીની જૂથની માગ
આ અંગે પ્રબોધ સ્વામી જૂથના ભક્તો સોખડા મંદિર ખાતે વિરોધ કરશે. તેમજ પ્રબોધ સ્વામીના જૂથની માંગ છે. સરળ સ્વામી અને પ્રેમ સ્વામી પ્રબોધ સ્વામીની માફી માંગે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પ્રેમ સ્વરૂપ સ્વામીને મંદિરના નવા ગાદીપતિ તરીકે જાહેર કરાયા છે