ઈસરોના મોટા વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ દાવો કર્યો કે, તેમને ઝેર આપવામાં આવ્યું હતું. આ ઝેર તેમને પ્રમોશન ઇન્ટરવ્યૂના સમયે આપવામાં આવેલ નાસ્તામાં ભેળવીને આપવામાં આવ્યું હતું. જેના કારણે તેમને 30થી 40 ટકા બ્લડ લૉસ થયું હતું.
તપન મિશ્રાને એનલ બ્લીડિંગ થઇ રહ્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ખુબ મુશ્કેલીથી તેમનો જીવ બચ્યો હતો. તપન મિશ્રાએ પોતાની સાથે થયેલી ઘટનાને ફેસબુક પર પોસ્ટ કરી છે.
તપન મિશ્રાએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પોતાના ફેસબુક પોસ્ટની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઘર પર જે આર્સેનિક આપે છે, તે ઑર્ગેનિક હોય છે. જે ઝેર તેમને આપવામાં આવ્યું હતું તે એક ઇનરવેરિક ઑર્સેનિક છે. આ પાણીમાં નથી ભળતું. આ એક પ્રકારનું ક્રિસ્ટલ હોય છે. જેના કારણે મૉલીક્યૂલર એક્સપેન્શન હોય છે. આ ખુબજ દુર્લભ હોય છે. તેનું 1 ગ્રામ કાફી હોય છે, કોઇ માણસને મારવા માટે. મને શંકા છે કે મને ઝેર આપવામાં આવ્યું હતું. હું ઇચ્છું છું કે આની તપાસ કરવામાં આવે. મે કોઇને ફરિયાદ નથી કરી. હું કોઇને મળી નથી શકતો.
Long Kept Secret We, in ISRO, occasionally heard about highly suspicious death of Prof. Vikram Sarabhai in 1971. Also...
ખાનગી ન્યૂઝ ચેનલને તેમણે જણાવ્યું કે, મને સતત 2 વર્ષ સુધી સારવાર કરાવવી પડી. આના માટે કોઇને આ અંગે વાત નથી કરી. આ ઘટના બાદ હું એકલો જીવિત વ્યક્તિ છું. કારણ કે આ ઝેર લીધા બાદ કોઇ નથી બચતું. હું જાન્યુઆરીમાં રિટાયર થઇ રહ્યો છું. આના માટે કોઇએ ધ્યાન ન આપ્યું. મારૂ જીવન ખતરામાં છે. હું લોકોને આ અંગે જણાવવા માંગુ છું. હું માત્ર પોતાના સર્વાઇવલ માટે આવું કરતો રહ્યો. હું ઇચ્છું છું કે, લોકોને આ અંગે જાણ થાય કે જો હું મરી જાઉં તો મારી સાથે શું-શું થયું હતું.
તમન મિશ્રાએ ફેસબુક પર લખ્યું કે, ઇસરોમાં આપણને ક્યારેક ક્યારેક મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મોતના સમાચાર મળતા રહે છે. વર્ષ 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું શંકાસ્પદ મોત થયું હતું. ત્યારબાદ 1999માં VSSCના નિર્દેશક ડૉક્ટર એસ શ્રીનિવાસનના મોત પર પણ સવાલ ઉઠ્યા હતા. એટલું જ નહીં 1994માં શ્રી નાંબીનારાયણ કેસ પણ સૌની સામે આવ્યો હતો. પરંતુ મને ખબર નથી કે એક દિવસમાં આ રહસ્યનો ભાગ બનીશ.
તમન મિશ્રાએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે, 23 મે 2017ના રોજ તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઇઑક્સાઇડ આપવામાં આવ્યું હતું. આ તેમને તેમના પ્રમોશન ઇન્ટરવ્યૂ દરમિયાન ઇસરો હેડક્વાર્ટર બેંગલુરૂમાં ચટણી અને ઢોંસામાં ભેળવીને આપવામાં આવ્યું હતું. જેને તેમણે લંચના થોડા સમય બાદ નાસ્તામાં ખાધુ હતું. ત્યારબાદ તે છેલ્લા 2 વર્ષ સતત ખરાબ હાલતમાં છે. ઇન્ટરવ્યૂ બાદ તેઓ મોટી મુશ્કેલીથી બેંગલુરૂથી અમદાવાદ પરત આવ્યા હતા. તપન મિશ્રા Sci/Eng SF ગ્રેડથી SG ગ્રેડ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા.
અમદાવાદ પરત ફર્યા બાદ તપન મિશ્રાને એનલ બ્લીડિંગ થઇ રહ્યું હતું. તેના કારણે તેમના શરીરથી 30થી 40 ટકા બ્લડ લૉસ થયું હતું. તપન મિશ્રાને અમદાવાદના ઝાયડસ કેડિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. ચામડી નકળી રહી હતી. હાથ અને પગની આંગળીઓને નખ ઉખડવા લાગ્યા હતા. ન્યૂરોલૉકિકલ સમસ્યાઓ જેવી હાપોક્સિયા, હાડકામાં દુખાવો, સેન્સેશન, એક વખત હળવો હાર્ડ એટેક, આર્સેનિક ડિપોઝિશન અને શરીરની બહારના અને અંદરના અંગો પર ફંગલ ઇન્ફેક્શન થઇ રહ્યું હતું.
તપન મિશ્રાએ પોતાની સારવાર ઝાયડસ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઈ અને એઇમ્સ દિલ્હીમાં કરાવી. આ સરવાર માટે તેમણે અંદાજિત 2 વર્ષનો સમય લાગ્યો. તપન મિશ્રાએ પોસ્ટમાં લખ્યું કે, દેશના પ્રસિદ્ધ ફોરેન્સિક સ્પેશ્યાલિસ્ટ ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે, તેમને પોતાના જીવનમાં ઝેરના જીવિત સ્પેસીમેનને પહેલીવાર જોયા છે. આ ઝેર મૉલીક્યૂલર ગ્રેડ As203 સ્તરનું છે.