અફઘાનિસ્તાનના ઉત્તર કુંદુજ પ્રાંતમાં શુક્રવારે મસ્જિદમાં થયેલા બ્લાસ્ટની જવાબદારી સ્વીકારતા ISIS-Kએ તેનું કારણ પણ જણાવ્યું છે.
ISIS-Kએ બ્લાસ્ટની જવાબદારી સ્વીરકારી
ISIS-Kએ હુમલાનું કારણ પણ જણાવ્યું
અફઘાનિસ્તાનના શિયા મુસ્લિમ અલ્પસંખ્યકો પર હુમલો કરવાનો લાંબો ઈતિહાસ રહ્યો
ISIS-Kએ બ્લાસ્ટની જવાબદારી સ્વીરકારી
અફઘાનિસ્તાનના ઉત્તર કુંદુજ પ્રાંતમાં શુક્રવારે શિયા મુસ્લિમોને નિશાનો બનાવીને મસ્જિદમાં કરવામાં આવેલા મોટા બ્લાસ્ટમાં 100થી વધું લોકોના મોત થયા હતા. જેમા ઘણા લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ ખુરાસાનને લીધી છે. જે ISIS-Kના નામથી પણ ઓળખાય છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર 26 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર થયાલે બોમ્બ વિસ્ફોટ બાદથી આ આતંકી ગ્રુપને આઈએસઆઈસ ખુરાસાનનો સૌથી ઘાતક હુમલો હતો. જેમાં લગભગ 170 નાગરિકો અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.
મસ્જિદમાં થયેલા હુમલામાં 100થી વધારે લોકો માર્યા ગયા
રશિયાની મીડિયાના આપેલા રિપોર્ટ અનુસાર આ બ્લાસ્ટમાં ત્યારે થયો જ્યારે સૈયદ અબાદ મસ્જિદમાં લોકો શુક્રવારની નમાજ માટે મસ્જિદમાં શામેલ થયા હતા. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. સ્પૂતનિકે નજરે જોનારાના હવાલાથી કહ્યુ કે મસ્જિદમાં થયેલા હુમલામાં 100થી વધારે લોકો માર્યા ગયા અને 20 લોકો ઘાયલ થયા છે.
અંદરો અંદરો મતભેદના કારણે આતંકી હુમલા
સ્થાનિક પ્રશાસન દ્વારા આ બ્લાસ્ટની પુષ્ટી કરવામાં નથી આવી. સાથે જ અત્યાર સુધી કોઈ પણ સંગઠને પણ આ બ્લાસ્ટની જવાબદારી નથી લીધી. અફઘાનિસ્તાનમાં વધી રહેલા હુમલા સંગઠનોમાં અંદરો અંદરો મતભેદના કારણે વધી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે એક પછી એક થઈ રહેલા બ્લાસ્ટને કારણે અહીયાના લોકોમાં હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ISIS-Kએ હુમલાનું કારણ પણ જણાવ્યું
આઈએસએ મસ્જિદમાં થયેલા બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી અને પોતાના દાવામાં આઈએસે આત્મઘાતી હુમલાખોરની ઓળખ એક ઉઈગર મુસ્લિમ તરીકે કરી અને કહ્યું કે હુમલામાં શિયાઓ અને તાલિબાન બન્નેને નિશાન બનાવવામાં આવ્યા જે ચીનથી ઉઈગરોની માંગને પુરી કરવામાં વિધ્ન બની રહ્યા છે.
અફઘાનિસ્તાનના શિયા મુસ્લિમ અલ્પસંખ્યકો પર હુમલો કરવાનો લાંબો ઈતિહાસ રહ્યો
ઈસ્લામિક સ્ટેટ ગ્રુપના આતંકવાદીઓના અફઘાનિસ્તાનના શિયા મુસ્લિમ અલ્પસંખ્યકો પર હુમલો કરવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે. શુક્રવારે જે લોકોને નિશાન બનાવ્યો હતો. તે હજારા સમુદાયથી છે. જે સુન્ની બહુલ દેશમાં લાંબા સમયથી ભેદભાવનો શિકાર બનતા રહ્યા છે. આ હુમલો અમેરિકન નાટો સૈનિકોની ઓગસ્ટના અંતમાં અફઘાનિસ્તાનની વાપસી અને દેશ પર તાલિબાનના કબજા બાદ ભીષણ છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકવાદી હુમલા વધી ગયા છે. પહેલા રવિવારે કાબૂલની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 12ના મોત અને 32 ઘાયલ થયા હતા. હવે આ ઘટના કાબૂલની ઈદગાહ મસ્જિદમાં ભીડભાડ વાળી જગ્યા પર થઈ હતી.