જો અહમદ એક મુસ્લિમ છે અને તે બજારમાં રોહિત તુષાર અને માનવ જે હિન્દુ છે તેમની સામે ગાયને મારે છે તો શું અહમદે કોઇ ગુનો કર્યો છે? આ પ્રશ્ન અમે નથી પુછતા પણ એક પરીક્ષામાં પુછાયેલો છે.
આ સવાલ ગુરૂ ગોવિંદસિંહ ઇંદ્રપ્રસ્થ વિશ્વવિધાલય(GGSIPU)ના લો વિધાર્થીઓને ત્રીજા સેમીસ્ટરની પરીક્ષામાં પુછવામાં આવ્યો હતો. આ પ્રશ્ન 7 ડિસેમ્બરે યોજાયેલ 'લો ઓફ ક્રાઇમ પેપર-1'માં પુછવામાં આવ્યો હતો. 3 કલાકની પરીક્ષા કુલ 75 નંબરની હતી જેમાં 25 નંબરનો આ સવાલ હતો.
જ્યારે સોશિયલ મીડિયા પર આ સવાલને શેર કરવામાં આવ્યો તો વિશ્વવિધાલયે આ બાબતે દુ:ખ વ્યક્ત કરતાં તરત આ સવાલને હટાવવાનો નિર્ણય કર્યો. સાથે કહ્યું કે વિધાર્થીઓ આ સવાલનો જવાબ નહીં આપે.
Here is a new normal De-humanising an entire community A Law College at Narela NCR’s Third Semester Question Paper pic.twitter.com/qCSEloSUac
તમને જણાવી દઇએ કે દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાને આ બાબતે જાણ થઇ તો તેમણે આ અંગે તપાસનો આદેશ આપ્યો છે અને આ સાથે તેમણે જણાવ્યું કે આ વિચિત્ર છે આ પ્રકારના પ્રશ્નો પૂછીને એવું લાગે છે કે સમાજને હેરાન કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મેં મામલે તપાસનો આદેશ આપ્યો છે તપાસ પૂર્ણ થયા બાદ કોઇ સત્ય સામે આવે છે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે તેમણે હાયર એજ્યુકેશન સેક્રેટરીને લખ્યું કે કોઈપણ પરીક્ષામાં સાંપ્રદાયિક પ્રશ્ન કેવી રીતે પૂછવામાં આવે છે? તેમણે આ કેસની તપાસની રિપોર્ટ 5 દિવસની અંદર જમા કરાવવાનું કહ્યું છે.