પારદર્શિતા / મુસાફરી દરમિયાન રેલયાત્રી જાણી શકશે કેવું છે તેમનું ભોજન: આ ટેક્નિકનો કરો ઉપયોગ

IRCTC Train meal check technique

ટ્રેનોમાં ખાણીપીણીની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ એક નવી પહેલ કરી છે. હવે ભોજનના દરેક પેકેટ પર ક્યૂઆર (ક્વિક રિસ્પૉન્સ) કોડ હશે. તેનું સ્કેન કરતાંની સાથે જ મુસાફરોના મોબાઈલ પર માહિતી મળી જશે કે ભોજન ક્યા બેઝ કિચનમાં તૈયાર કરવામાં આવ્યું છે. કોને તેનું લાઇસન્સ મળ્યું છે અને તેનો સંપર્ક નંબર શું છે. આ ઉપરાંત યાત્રીઓ પેકેટનું વજન પણ જોઈ શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ