માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા માટે ખાસ ટૂરનું કરવામાં આવ્યુ છે આયોજન. IRCTC ટૂંક સમયમાં જ લૉન્ચ કરશે પ્લાન
વૈષ્ણવ દેવીની યાત્રા કરાવશે IRCTC
IRCTC 'ભારત દર્શન ટૂરિસ્ટ ટ્રેન' કરશે શરુ
8 થી 9 દિવસની ટૂરમાં હશે બીજા ઘણા સ્થળો
કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે. દેશ ધીરે ધીરે આ મહામારીમાંથી બહાર આવી રહ્યો છે. વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ પોતાના વતન પરિવારને મળવા આવી રહ્યા છે. એટલે કે કોરોનાના કેસ ઘટતા લોકો ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. ટૂર પ્લાન કરી રહ્યા છે. ત્યારે આવી જ રીતે જો કોઇ માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા ઇચ્છે છે તો IRCTCએ ખાસ ટૂરનું આયોજન કર્યુ છે. આ ટૂર પેકેજમાં વૈષ્ણવ દેવી સિવાય પણ બીજી જગ્યાએ ફરી શકો છો.
8થી9 દિવસનો પ્રવાસ
IRCTC ટૂંક સમયમાં 'ભારત દર્શન ટૂરિસ્ટ ટ્રેન' ચલાવવાનો પ્લાન છે. આ ટ્રેન દ્વારા 8 થી 9 દિવસ માટેના પ્રવાસનું આયોજન કરવામાં આવશે. આ ટ્રેનમાં સ્લીપર અને થર્ડ એસી બંને કોચ હશે. થર્ડ એસી ઘરાવતી સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનમાં સફર કરવાનો કંઇક અલગ જ આનંદ હશે.
સ્લીપર અને થર્ડ એસી સુવિધા
જો તમે ઈચ્છો તો સ્લીપર ક્લાસમાં પણ મુસાફરી કરી શકો છો. સ્લીપર ટિકિટ માટે 8510 રૂપિયા ચૂકવવા પડશે અને થર્ડ એસી માટે 10,400 રૂપિયા ચૂકવવા પડશે. 19 માર્ચથી શરૂ થતી આ યાત્રા 27 માર્ચે પૂરી થશે.
ટૂર પેકેજમાં શું છે?
આ ટુરમાં માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત ઉપરાંત આગ્રાના તાજમહેલ અને ત્યાં હાજર કિલ્લાઓની મુલાકાત કરાવાશે. આ સિવાય પેકેજમાં મથુરા, અમૃતસર ગોલ્ડન ટેમ્પલ, વાઘા બોર્ડર, મનસા દેવી અને હરિદ્વારમાં ગંગા આરતીનો પણ લ્હાવો મળશે.
યાત્રા દરમિયાન રાત્રે આરામ કરવા માટે ધર્મશાળાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
આ સિવાય નાસ્તો, લંચ અને ડિનર મળશે.
મંદિરે દર્શન માટે પહોંચવા માટે ટેક્સી અને ત્યાંથી આવવાની સુવિધા પણ મળશે
કેવી રીતે કરાવશો બુકિંગ
આ ટૂર પેકેજનું બુકિંગ ઓનલાઈન કરવામાં આવશે. આ માટે તમારે IRCTCની ઓફિશિયલ વેબસાઇટ irctctourism.com પર જવું પડશે. જો તમે ઇચ્છો, તો તમે બુકિંગ સેન્ટરની મુલાકાત લઈને ઑફલાઇન ટિકિટ પણ બુક કરી શકો છો.